________________
મિ વાલાદિક કોથલી, મોહરાયની ચેટી રે. ' એ પેટી રે ચમડી, ઘણા રોગની રે... શી માયા રે. ૫ ગભવિાસ નવ માસમાં, કૃમિ પર મલમાં વસિયો રે તું રસિયો રે ઊંધે માથે ઈમ રહ્યો એ શી માયા રે... ૬ કનકકુંવરી ભોજનભરી, તિહાં દેખી દુર્ગધ બૂક્યો રે
અતિ બૂડ્યા રે, મલ્લિમિત્ર, નિજ કર્મશું એ.. શી માયા રે. ૭ કવિ કહે છે, “હે આત્મા, તું વિચાર કર કે આ કાયા અશુચિ છે. ગંદા પદાથથી ભરેલી છે. કાચી માટીના પાત્ર જેવી કાયાની સાથે શું માયા બાંધે છે? શું પ્રેમ બાંધે છે? કાયામાં પ્રીતિ કરવા જેવું છે શું? કશું જ નથી. પુરુષના શરીરમાં નવ દ્વાર છે. જ્યારે સ્ત્રીના શરીરમાં બાર દ્વાર છે. આ દ્વારોમાં અશુચિ - ગંદકી વહેતી રહે છે. એવી કાયા પર માયા શા માટે કરવી?
અરે મર્મજીવ!તું વિચારતો નથી કે આવા જદુર્ગધમય પદાર્થોથી જ તારું શરીર ભરેલું છે! આ શરીર માંસ, રૂધિર, મેદ, રસ, હાડકાં, મજ્જા અને વીર્ય આદિ ગંદા પદાર્થોથી ભરેલું છે. આવા ગંદા પદાર્થોથી ભરેલા તારા પોતાના શરીરના બાહ્ય રૂપને જોઈને કેમ ખુશ થાય છે? શા માટે આનંદિત થાય છે? આ શરીર એક કોથળી છે. એમાં કૃમિ-કીડા વગેરે અનેક જંતુઓ ભરેલાં છે, આવા શરીર ઉપર શો મોહ કરવો? કાયા તો મોહરાજની દાસી છે. અનેક રોગોથી ભરેલી છે. માત્ર એની ઉપર કાળી-ગોરી ચામડીનું એકલું આવરણ છે. આવી કાયાની માયા ન કર.
સુજ્ઞ આત્મા, જરા યાદ કર તારા ગર્ભાવસ્થાના દુખપૂર્ણ નવ મહિનાઓને! જે રીતે મળમૂત્રમાં કીડા વગેરે રહે છે એવી રીતે તું માતાના ઉદરમાં ઊંધે માથે લટક્યો હતો. કેટલાં દુઃખ પામ્યો હતો ! માતાના ઉદરમાં કેટલી ગંદકી ભરેલી હોય છે?
મલ્લિનાથ ભગવાન જે પૂવવસ્થામાં મલ્લીકુમારી હતા. તેમણે પોતાના પૂર્વભવના છ મિત્રો જે આ ભવમાં છ દેશના રાજાઓ હતા એમને પ્રતિબોધિત કર્યા હતા - આ અશુચિંભરી કાયાના માધ્યમ દ્વારા. સંક્ષેપમાં આ કથા તમને સંભળાવું
અશુચિદર્શનથી બોધઃ
પહેલાં ભગવાન મલ્લિનાથના પૂર્વભવની વાત સાંભળી લો. “મહાવિદેહ ક્ષેત્રમાં સલિલાવતી વિજય નામના પ્રદેશમાં વીતશોકા નગરી હતી. ત્યાં બલ’ નામનો રાજા હતો. પુત્ર મહાબલકુમાર હતો. પુત્ર મહાબલકુમારનો રાજ્યાભિષેક કરીને રાજા બલે દીક્ષા લઈ લીધી.
૫૬
ફક
બહારતા ૨ |