________________
શરીર - દુષ્ટ માણસ જેવું:
દુષ્ટ-દુર્જન ઉપર જિંદગીભર ઉપકાર કરતા રહો, છતાં પણ દુર્જન પોતાની દુર્જનતા છોડશે નહીં, સાચી વાત છે ને ? આ વાત આજકાલની નથી. શ્રમણ, ભગવાન મહાવીરના સમયની છે. ભગવાને ગોશાલક ઉપર કેટલા ઉપકારો કર્યા હતા? ગોશાલક અનેક વાર પોતાનાં અનેક અયોગ્ય આચરણોથી લોકોના કોપને પાત્ર બન્યો હતો. ભગવાને એને બચાવ્યો હતો. ભગવાને જ એને તેજલેશ્યાની મહાન શક્તિ આપી હતી. એ શક્તિનો દુરુપયોગ તેણે ભગવાન ઉપર જ કર્યો હતો. દુર્જન હતો ને ? દુષ્ટ હતો ! શરીરનું પણ એવું જ છે. એને સાવો, સ્વચ્છ કરો, હૃષ્ટપુષ્ટ કરો; પણ તે તો પાપ જ કરતો રહેશે. આત્માને અશુદ્ધ જ કરતો રહેશે. હૃષ્ટપુષ્ટ બનેલું શરીર આત્માને કામાસક્ત બનાવે છે, ભોગાસક્ત બનાવે છે. વૈષયિક સુખભોગો તરફ ખેંચે છે. આ જ તો શરીરનો અપકાર છે. આત્માને વધારેમાં વધારે નુકસાન તો પાપોથી જ થાય છે અને વધારેમાં વધારે પાપ “શરીર કરે છે.
અતિ અલ્પ માણસોના વિષયમાં એવું જોવામાં આવે છે કે એમના હૃષ્ટપુષ્ટ શરીરનો ઉપયોગ તપશ્ચર્યામાં થાય છે, પરમાર્થ-પરોપકારનાં કાર્યોમાં થાય છે, સંયમધર્મની આરાધનામાં થાય છે. જેમ કે ઇન્દ્રભૂતિ ગૌતમ. આપણે જેમને ગૌતમ સ્વામીના નામે યાદ કરીએ છીએ. એમનું શરીર હૃષ્ટપુષ્ટ હતું. તેઓ શ્રમણ બન્યા અને બબ્બે ઉપવાસને પારણે – બબ્બે ઉપવાસની તપશ્ચર્યા કરતા રહ્યા ! પરમ ગુરુદેવ ભગવાન મહાવીર સ્વામીની સેવા-ભક્તિ કરતા રહ્યા. લોકોને ધમપદેશ આપતા રહ્યા. સંયમધર્મનું વિશુદ્ધ પાલન કરતા રહ્યા. પરંતુ આવાં વૃષ્ટાંત સોમાં એક-બે જ મળે છે. વધારે પ્રમાણમાં તો આ શરીર ભોગાસક્ત-પાપાસક્ત બનીને આત્માને દુઃખી જ કરે છે. એટલા માટે શરીરની મમતા છોડવાની છે અને શરીરની અશુચિતાની વિચારણા કરવાની છે. શરીરને માત્ર જીવનયાત્રાનું સાધન જ માનવાનું છે. દગાબાજ શરીર ઉપર વિશ્વાસ કરવાનો નથી. શરીર દગાબાજ - વિશ્વાસ ન કરો:
શરીર કેવું દગાબાજ છે એ કેટલાંક ઉદાહરણો આપીને સમજાવું. એક ભાઈ મારી પાસે આવ્યા. વિરક્ત બન્યા હતા. ઉંમર હશે અંદાજે ૪૦-૪૫ વર્ષની. શરીર નીરોગી હતું. બોલ્યાઃ “મારે એક વરસ પછી દીક્ષા લેવી છે. એક વર્ષમાં દુકાન-ઘર-પત્ની-પુત્ર વગેરેની વ્યવસ્થા કરી દઉં છું.” મેં કહ્યું - "તમારી ભાવના સારી છે. અને શીધ્ર-સારા કાર્યમાં વિલંબઠીકનહીં.”છ મહિના પછી મેં સાંભળ્યું કે તે શરીરને લકવો થઈ ગયો છે. તેઓ તેમની સંયમિત જીવન [૫૪] .
" | શાન્તસુધારસ : ભાગ ૨)