________________
હોય છે. સરભરા કરવી પડતી હોય છે! સંસારના વ્યવહારો એવા જ હોય છે, પરંતુ એનાથી શત્રુને મિત્ર માનવાની ભૂલ કરવાની નથી.
कर्पूरादिभिरर्चितोऽपि लशुनो नो गाहते सौरभं, नाजन्मोपकृतोऽपि हन्त ! पिशुनः सौजन्यमालम्बते । देहोप्येष तथा जहाति न नृणां स्वाभाविकी विनतां, नाभ्यक्तोऽपि विभूषितोऽपि बहुधा पुष्टोऽपि विश्वस्यते ॥ ३ ॥ શરીરને લસણની ઉપમા આપતાં ઉપાધ્યાયજી કહે છે - લસણને કપૂર વગેરે સુગંધયુક્ત પદાર્થોમાં રાખવામાં આવે તો પણ એની બદબૂ જતી નથી. દુષ્ટ આદમી ઉપર જિંદગીભર ઉપકાર કરતા રહો છતાં પણ એ સુધરશે નહીં. એ જ રીતે આ માનવ શરીર એને ગમે તેટલું શણગારો, સજાવો, હૃષ્ટપુષ્ટ બનાવો, તો પણ તે તેની સ્વાભાવિક દુર્ગધ નહીં છોડે ! શરીર - લસણ સમું દુગંધયુક્ત : i શરીર શરાબના ઘડા જેવું ગંદું છે. i શરીર કાદવ-કચરા જેવું અપવિત્ર છે.
શરીર લસણ જેવું દુર્ગંધમય છે.
આ રીતે શરીરને ત્રણ ઉપમાઓ આપીને તેના પ્રત્યે વિરક્ત-અનાસક્ત બનવા માટેનો ઉપદેશ આપ્યો છે. શરીરને લસણની ઉપમા આપવાની સાથે સાથે એક બીજી વાત કહી દીધી છે. દુર્જન મનુષ્ય ઉપર જિંદગીભર ઉપકાર કરતા રહો, તો પણ એ સૌજન્યશીલ નહીં બને, કૃતજ્ઞ નહીં બને, કતબ જ રહેશે. ઉપકારનો બદલો અપકારમાં જ ચૂકવશે. એ રીતે આ શરીર ઉપર ગમે તેટલા ઉપકાર કરતા રહો, એને સજાવો, શણગારો, હષ્ટપુષ્ટ કરો. પણ વિશ્વાસપાત્ર નથી બનતું; અવસર આવતાં જ તે દગો દેશે.
બંને વાતો ગંભીરતાથી વિચારવી પડશે. લસણ જેવું દુર્ગધમય છે આ શરીર અને દુર્જન જેવું અવિશ્વસનીય છે. . રોગી શરીર દુર્ગંધમય હોય છે. રોગી શરીર જ નિર્બળ અને નિર્વીર્ય હોય છે.
"ો નમયનું જે શરીર દ્વારા વૈષયિક સુખો ભોગવવામાં આવે છેતે શરીર રોગાક્રાન્ત થઈને દુગંધમય થઈ જાય છે. હોસ્પિટલોમાં જઈને રોગીઓને જોજે.
[ અશુચિ ભાવના
૫૩]