________________
प्रणयविहीने दधदभिषंगं, सहते बहुसंतापम् । त्वयि निष्प्रणये पुद्गलनिचये, वहसि मुधा ममतातापम् ॥ ६ ॥ त्यजसंयोगं नियतवियोगं कुरु निर्मलमवधानम् । नहि विदधानः कथमपि, तृप्यसि, मृगतृष्णाघने रसपानम् ॥ ७ ॥ भज जिनपतिमसहायसहायं, शिवगतिसुगमोपायम् । पिब गदशमनं परिहतवमनं, शान्तसुधारसमनपायम् ॥ ८ ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્તસુધારસ' ગ્રંથમાં અન્યત્વભાવનાનું ગાન કરતાં કહે છે? ૬. તારા પ્રત્યે જેને પ્રેમ નથી, પોતાપણું નથી, એને પ્રાપ્ત કરવાની કોશિશ કરીશ,
તો અપાર પીડા તને ઘેરી વળશે. પુદ્ગલની માયાજાળ આવી જ પ્રેમહીન છે. તું નકામો એની પાછળ પાગલ થઈને પીડાથી બળી રહ્યો છે. ૭. જે જુદાઈના જંગલમાં ભટકાવનાર છે એવા મિલનને તું પહેલેથી જ છોડી દે. તારી એકાગ્રતાને પારદર્શી બનાવ. રણના ઝાંઝવાના જળને હોઠે લગાડવાથી
તૃષા છીપશે નહીં, ઊલટી વધારે પ્રબળ બનશે. ૮. વિશ્વમાં જેનું કોઈ નથી એને સહાય કરનાર પરમાત્માનું તું ધ્યાન ધર, આ જ મોક્ષપ્રાપ્તિનો એક સરળ ઉપાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપને શાન્ત
કરનાર ‘શાન્તસુધારસનું તું પાન કર. પ્રેમરહિતને પ્રેમ ન કરવો :
ઉપાધ્યાયજીએ ખૂબ અગત્યની વાત કરી દીધી છે જેનો તમારા પ્રત્યે પ્રેમ ન હોય, એની સાથે તમે પ્રેમ ન કરો અને જો કરશો તો અંતહીન પીડા સહન કરવી પડશે.” આ વાત કેટલી સાચી છે એ સમજવા માટે સમરાદિત્ય મહાકથા’ના નવ ભવો ઉપર નજર કરો.
પ્રથમ ભવ હતો અગ્નિશમ અને રાજા ગુણસેનનો. આ બાજુ ગુણસેન યુવરાજમાંથી રાજા બન્યો, આ બાજુ અગ્નિશમી તપોવનમાં તાપસ બનીને ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યો. હજારો વર્ષ વ્યતીત થઈ જાય છે. રાજા ગુણસેન અગ્નિશમને ભૂલી ગયો હતો. અગ્નિશમાં પણ ગુણસેનને ભૂલી ગયો હતો. ફરીથી વસંતપુરના બાહ્ય તપોવનમાં ‘સુપરિતોષ' નામના તપોવનમાં બંનેનું મિલન થયું હતું. તાપસ અગ્નિશમના ત્રણ-ત્રણ માસખમણના પારણા રાજા ગુણસેને ચુકાવી દીધાં હતાં. અર્થાત્ એક યા બીજા કારણે રાજા તપસ્વીને પારણું કરાવી ન શક્યા. અગ્નિશમને ગુણસેન પ્રત્યે રજમાત્ર સ્નેહન હતો. તે ઘોર દ્વેષમાં બળતો હતો અને
[ ૩૮
શાન્તસુધારસઃ ભાગ ૨ |