________________
પ્રત્યેક આત્મદ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ આત્મા બીજા આત્મા સાથે જોડાયેલો નથી. દેહથી, દ્રવ્યથી અને બીજા લોકોથી તો આત્મા ભિન્ન છે જ. આ વાત શ્રી જિનેશ્વરદેવોએ કહેલી છે. એટલે કે પૂર્ણજ્ઞાની, સર્વજ્ઞોની કહેલી છે. આ વાતનું - “હું સ્વતંત્ર, સ્વાધીન આત્મદ્રવ્ય છું” - ધ્યાન કરવાનું છે. નિશ્ચિત બનીને ધ્યાન કરવાનું છે. નિશ્ચયનયથી દરેક આત્મા સ્વતંત્ર છે. સ્વાધીન છે. સર્વ દ્રવ્યોથી પર છે.
મનોરં સર્વ પ્યોઃ | આ રીતે અન્યત્વ ભાવનાનું ચિંતન કરનાર આત્મા કદી દુઃખી થતો નથી, કદી. અશાન્ત નથી બનતો. પરદ્રવ્યને, પરપદાર્થને બીજા જીવોને આપણા માનવાથી જ દુઃખ થાય છે, અશાન્તિ થાય છે. જુદાઈનો મંત્રજાપ કરવો પડશે ! આ મંત્ર છે - બન્યો.૬ સર્વદ્રવ્યંખ્યોઃ i હૃદયમાં જુદાઈની કલ્પના દૃઢ કરતા રહો. બહારથી તો સર્વની સાથે રહેવાનું છે. સર્વ જડચેતન દ્રવ્યોની સાથે જીવવાનું છે, પરંતુ હૃદયમાં ચેતના સહચારિણી કહેતી રહે કે ‘તું સર્વથી ભિન્ન છે, પોતાના ઘરમાં રહે, પોતાનું ઘર સંભાળ, પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે. જે પોતાના ઘરમાં રહે છે, તેનો તો ઉદ્ધાર થાય જ છે. એ ભવસાગર તરી જાય છે. એ પરમ સુખ અને પરમ શાન્તિ પામે જ છે.’
પરદ્રવ્યના સંયોગ-વિયોગમાં દુઃખ છે, અશાન્તિ છે, એવું માનીને આત્મભાવમાં રમણ કરવા માટે આ અન્યત્વ ભાવના’ અને ‘એકત્વ ભાવના ખૂબ જ ઉપયોગી છે. આત્મશાન્તિ પામવા માટે પુનઃ પુનઃ આ ભાવનાઓ ગાવાની છે, ગાતા રહો અને ચિંતન કરતા રહો. અહીં તહીં ભટકવાની જરૂર નથી.
આજે બસ, આટલું જ.
૩૬
શાન્ત સુધારસ : ભાગ ૨
ક