________________
આત્માને સંભાળો.
ચિંત કર આપ તે આપણી, મત કર પારકી આશ રે, આપણું આચર્યું અનુભવ્યું વિચારી પરવસ્તુ ઉદાસ રે..
ચેતના જાગી સહચારિણી. " પારકું એટલે પારકું. પારકાની આશા-અપેક્ષા ન કરવી. બીજાંની ચિંતા કરવાનું છોડી દે, વિચાર તો આપણો કરવાનો છે. આ જીવનમાં કેવાં કેવાં આચરણ કર્યા, કેવા કેવા અનુભવો ક્ય. પરદ્રવ્ય - પરદ્રવ્યની સાથે કેવી રીતે સંબંધ બાંધ્યા? કેટલા સંબંધો બાંધ્યા? કેટલા સંબંધો તૂટ્યા? આ બધું વિચારીને પરદ્રવ્યો પ્રત્યે ઉદાસીન ભાવ ધારણ કરવાનો છે. બીજા જીવો સાથે પણ મમત્વ બાંધવાનું નથી. પોતાના જ ઘરને સંભાળવાનું છે! સૂતેલી પોતાની ચેતના જ્યારે જાગી જ છે તો હવે એની સાથે પોતાના જ ઘરમાં રહેવાનું છે.
"વિન, નિમાય નિગમવનમ્ ." પોતાના ઘરને સંભાળવાનું છે. અનાદિકાળથી ચેતના સૂતેલી હતી. પ્રમાદની પ્રગાઢ નિદ્રામાં સૂતેલી હતી. હવે તે સદ્ગરની કૃપાથી જાગી છે, તો પછી પરઘરમાં શા માટે રહેવાનું છે? જ્ઞાની, કૃપાવંત પુરુષો કહે છે - હવે પોતાના ઘરમાં આવો, પોતાના ઘરમાં રહો, પોતાની સહચારિણી ચેતના જ પરમ સુખ આપશે, શાશ્વત્ સુખ આપશે. આત્મા જ આત્માનો ઉદ્ધાર કરશે ? ઉપાધ્યાયશ્રી સકલચંદ્રજી કહે છે કે -
કો કિણે જગ નવિ ઉદ્ધ, ઉદ્વરે આપણો જીવ રે, ધન્ય જે ધર્મ આદર કરે તે વસે મોક્ષ સમીવ રે...
ચેતના જાગી સહચારિણી આરાધનાના માર્ગમાં, મોક્ષમાર્ગની આરાધનામાં પણ આ વિચારીને ચાલો કે આપણા આત્માનો ઉદ્ધાર આપણા આત્માએ જાતે જ કરવાનો છે. બીજી કોઈ વ્યક્તિ આપણને આ સંસારમાંથી પાર ઉતારશે નહીં, એટલા માટે આત્મધર્મને જ હૃદયમાં સ્થાન આપો. આત્મધર્મ જ આપણને મુક્તિની નિકટ લઈ જશે. પારકી આશા સદા નિરાશા - સ્વયં જાગૃત બનીને સ્વયંનો ઉદ્ધાર કરવાનો છે.
જૂજવે જૂજવા આતમા, દેહ, ધન-જન થકી ધ્યાન રે. તે નવિ દુખં મન ઉપજે, જેહને ચિત્ત જિન જ્ઞાન રે..
ચેતના જાગી સહચારિણી.... [ અન્યત્વ ભાવના
૩૫]