________________
કર્યો હશે. પરંતુ “મનાથી હું જુદો છું એવું ય વિચારવાનું છે. આમેય જ્યાં સુધી ‘કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી મન છે. કેવળજ્ઞાનીને વિચારવાનું જ નથી, પછી મનની આવશ્યકતા જ રહેતી નથી. મન માત્ર વિચારવાનું સાધન છે. જો કે મૂલ્યવાન સાધન છે. ઇન્દ્રિયો કરતાં પણ વધારે મૂલ્યવાન છે. ઘણું ઘણું પુણ્ય ખર્ચા પછી જ મન મળે છે. પરંતુ એ આત્માથી ભિન! એટલા માટે મનનું મમત્વ પણ રાખવાનું નથી. મનનો ઉપયોગ સારા વિચારોમાં, ઉચ્ચ કક્ષાના ચિંતનમાં કરવાનો
સર્વ જગ જીવ ગણ જૂજુઆ, કોઈ કુણનો નવી હોય રે, કર્મવશે સર્વનિજનિજ તણે, કર્મથી નવિ તય કોઈ રે...
ચેતના જાગી સહચારિણી.... હે આત્મનું, આ જગતમાં સર્વ જીવોને ય પોતાનાથી ભિન્ન જ સમજવાના છે. આ જગતમાં કોઈ કોઈનું નથી, સર્વ જીવો પોતપોતાનાં કર્મોને વશ અહીં સ્વજન - પરિજનના રૂપમાં મળ્યાં છે. પુનઃ કર્મવશ જ અલગ થઈ જવાનાં છે. આ કમાંથી કોઈ ભવસાગર તરી નથી શકતું.
ગ્રંથકાર ઉપાધ્યાયજી પણ કહે છે - पथि-पथि विविध पथैः पथिकैः सह कुरुते कः प्रतिबन्धनम् । निजनिज कर्मवशैः स्वजनैः सह सह किं कुरुषे ममताबन्धनम् ॥
વિનય, નિમાય નિરમવનમ્ / ૧ / હે ચેતન, સફરમાં, જીવનયાત્રામાં સહયાત્રી થઈ જતાં પ્રવાસીઓની સાથે સ્નેહનો સંબંધ બાંધવાથી શો ફાયદો ? પોતપોતાના કર્મોને સહારે જીવનારાં સ્વજનોની સાથે અનુરાંગનાં બંધન શા માટે જોડવાં?
આ જીવનયાત્રા છે - જન્મથી મૃત્યુ સુધીની જીવનયાત્રા છે. આ યાત્રામાં આપણી સાથે બીજા યાત્રીઓ પણ જોડાય છે. તેમની સાથે માત્ર મૈત્રીભાવના રાખવાની છે, પરંતુ હૃદયથી સ્નેહનો નાતો બાંધવાનો નથી, કારણ કે આ યાત્રા ચાલી રહી છે. યાત્રામાં કોઈ મળે છે તો કોઈ છૂટું પડે છે. નેહ તો એની સાથે રાખવો જોઈએ કે જે આપણાથી વિખુટું પડતું ન હોય, અને જે કર્મવશ જીવ હોય છે, તે સ્વાધીન-સ્વતંત્ર નથી હોતા. એ પોતપોતાનાં કમોને આધીન હોય છે. એકમાં જ જીવોને બીજા જીવો સાથે જોડે છે અને વિયુક્ત કરે છે ! જો આપણે એવાં હમસફર જીવનયાત્રીની સાથે મમત્વ બાંધી લીધું તો જ્યારે જીવને વિયોગ આવી જશે ત્યારે દુઃખી દુઃખી થઈ જશે. એટલા માટે સમજીને ચાલો. કોઈ કોઈનું નથી. આપણે કોઈનાં નથી. કોઈ આપણું નથી. સૌ પોતપોતાના ઘરને સંભાળો ! પોતપોતાના
૩૪
શાસ્તસુધારસ : ભાગ ૨