SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વજન-પરિજનોથી તું ભિન્ન છે : જેમ જીવ શરીરથી ભિન્ન છે એ રીતે સ્વજનોથી પણ ભિન્ન છે, પર છે, જુદો છે. પરંતુ સ્વજનોનો સંબંધ જન્મની સાથે જ શરૂ થાય છે. જન્મ થતાં જ માતા-પિતાનો સંબંધ સ્થાપિત થઈ જાય છે. જન્મ આપનાર માતા-પિતા કહેવાય છે. જે માતાપિતાએ આપણને જન્મ આપ્યો તે જ માતા-પિતા બીજાં છોકરા-છોકરીઓને જન્મ આપે તે આપણાં ભાઈ-બહેન' કહેવાય છે. જ્યારે બાળક મોટું થાય છે અને કોઈક છોકરી સાથે લગ્ન કરે છે. તો તે તેની પત્ની ક્લેવાય છે. પતિપત્નીનો એક નવો સંબંધ જોડાય છે. પિતાના ભાઈ કાકા કહેવાય છે. માતાના ભાઈ મામા કહેવાય છે. પિતાના પિતા દાદા કહેવાય છે. માતાના પિતાને નાના કે “દાદા' કહેવાય છે. આવા સંબંધોની જાળ વિસ્તરતી જાય છે. સ્વજનો પ્રત્યે કર્તવ્ય નિર્ધારિત થાય છે. કર્તવ્યપાલનને વ્યવહાર ધર્મ કહે છે. પરસ્પર સ્નેહની અપેક્ષા રહે છે. સહયોગસહકાર અપેક્ષિત રહે છે. વિનય-વિવેક અપેક્ષિત રહે છે. પરંતુ જ્યારે પરસ્પર સ્નેહ નથી રહેતો ત્યારે દ્વેષ, ઈર્ષા, તાણ, લડાઈ, ઝઘડા વગેરે અનિષ્ટો ઊભાં થાય છે. સ્વજન-પરિજનના પારસ્પરિક સંબંધોમાં પ્રાયઃસ્વાર્થ પ્રવિષ્ટ થઈ જ જાય છે. એમાં પણ મુખ્યતયા કારણ તો રુચિભેદ જ હોય છે. એક પરિવારમાં દશ વ્યક્તિઓ સાથે રહે છે, દરેકને પોતપોતાની અભિરુચિ હોય છે. સૌની રુચિ એક સમાન નથી હોતી. એક વ્યક્તિ અમુક ઇચ્છે છે તો બીજી વ્યક્તિ જુદું જ ઈચ્છે છે. રુચિનાં મુખ્ય બે કેન્દ્રો હોય છે - અર્થ અને કામ, કંચન અને કામિની. આ રચિભેદને કારણે, સ્વાર્થને કારણે પરિવારમાં કટુતા... ટ્રેષ, ઝઘડાનો પ્રવેશ થાય છે. રૂચિભેદ કહો, વિચારભેદ કહો મનભેદ કહો, એનાથી પારિવારિક ભાવના ખંડિત થાય છે. પારકાને પોતાનાં માનવાની અનાદિકાલીન ભૂલ આ જન્મમાં કરવાની નથી.” આવો વૃઢ સંકલ્પ કરવો પડશે. આ રીતે અન્યત્વ ભાવનાનું ચિંતન કરો. અન્યત્વ ભાવનાનું હૃદયસ્પર્શી ચિંતનઃ હું (આત્મા) જેનાથી ભિન્ન છું, એની સાથે મેં આત્મીયતા બાંધવાની ભૂલ કરી છે. જે કદી મારાં નથી બન્યાં એવાં તત્ત્વોને આપણાં મારાં માનવાની ભૂલ કરી છે. પરદ્રવ્યો સાથે મમતાનાં પ્રગાઢ બંધનોમાં હું બંધાઈ ગયો છું. અલબત્ત, પરને પોતાનો માનવાની ભૂલ આજકાલની નથી. આ ભૂલ હું અસંખ્ય વર્ષોથી કરતો આવ્યો છું. કારણ કે મેં પરવ્યક્તિમાં સુખની કલ્પનાઓ બાંધી લીધી ‘મને સ્વજનો સુખ આપશે, પરિજનો સુખ આપશે, વૈભવ-સંપત્તિમાં મને સુખ [ અન્યત્વ ભાવના છે. ૩૧ |
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy