________________
સોક્રેટિંસે કહ્યું: “આપણા દેશના કલાકારોની કલા-કારીગરી જોઈને આનંદ થયો.” શિષ્યોએ પૂછ્યું: “આપને કોઈ વસ્તુ લેવાની ઈચ્છા ન થઈ ?”
સોક્રેટિસે જવાબ આપ્યો : “ના, મારે જે વસ્તુની આવશ્યકતા જ ન હોય તે લેવાની ઈચ્છા જ કેમ થાય?” શિષ્યોએ કહ્યું: “સુંદર વસ્તુ લેવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે ને ?”
સોક્રેટિસનો જવાબ હતોઃ “આપણા દેશમાં વૈદ્યો ખૂબ સારી દવાઓ બનાવે છે, પરંતુ જેની જરૂર ન હોય તે દવા ગમે તેટલી સારી હોય, તો પણ શું તમે. એ દવા લેશો?" સોક્રેટિસે તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતાર્યું હતું. ઇચ્છામુક્તિથી આત્મહિત :
'ગ્રંથકારે કહ્યું છે: "તસ્વ હતા . આત્મહિતાર્થે પ્રયત્ન કર. . આત્મહિત થાય છે અનિચ્છાથી, ઇચ્છાઓના અભાવથી, અનુરાગાત્મક ઈચ્છા ન કરવાથી. જ્ઞાની પુરુષ અનાવશ્યક પદાર્થોને કામમાં લેશે, ઉપયોગ કરશે, પરંતુ એના પ્રત્યે અનુરાગ નહીં સેવે. ભવિષ્ય માટે પદાર્થોની આકાંક્ષા પણ નહીં કરે. - હવે કર્મબંધની વૃષ્ટિએ એક વાત કરી દઉં, પ્રવૃત્તિની સાથે કર્મનો બંધ થાય છે. જ્ઞાનીનો બંધ લૂખો સૂકો જ હોય છે. એ ઉદયમાં આવશે તો એના વિપાક ગહન નહીં હોય. એ સહજ ઉદયમાં આવીને ક્ષીણ થઈ જશે. અજ્ઞાની મનુષ્ય ચીકણો કર્મબંધ કરે છે એનો ગહનવિપાક ભોગવવો પડે છે. વર્તમાનમાં પ્રાપ્ત પદાર્થપ્રત્યે અનુરાગ ન હોવો અને ભવિષ્યની આકાંક્ષા ન હોવી - એ જ્ઞાનીનું લક્ષણ છે.
જ્ઞાનીનું બીજું લક્ષણ છે -અલેપ! જ્ઞાનીને લેપ નથી થતો, તે તો અલિપ્ત જ રહે છે. “જ્ઞાનસારમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છેઃ હિતો નિશ્વિનાત્મા, નિરવ વ્યવહાલત . નિશ્ચયવૃષ્ટિથી આત્મા અલિપ્ત હોય છે, જેમ કે આકાશ કાદવથી લિપ્ત થતું નથી.
"आकाशमिव पंकेन नासी पापेन लिप्यते ।" આચાર્યશ્રી કુંદકુંદાચાર્યે “સમયસારમાં આ જ વાત બીજા ઉદાહરણ દ્વારા સમજાવી છે - ,
णाणी रागप्पजहो । सबदब्बेसु कम्ममज्झगदो, णो लिप्पदि रजएण हु काममझे जल कयणं । अप्पाणी पुण स्तो सबदव्येसु कम्ममझगदो, लिप्पदि कम्मरण करमम्मझे जल लोहं ॥
૨૨
*
* * *''- +::::
ની શાન્ત સુધારસ : ભાગ ૨
: