________________
अपरिग्गहो अणिच्छो भणिदो, णाणीय णेच्छदे धम्मं ।
अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सोहोदि ॥ કેવું સમીકરણ બતાવ્યું છે ? ઈચ્છા અજ્ઞાન છે, અનિચ્છા જ્ઞાન છે. અનિચ્છા જ અપરિગ્રહ છે. જે અપરિગ્રહી છે તે જ ધર્મનો જ્ઞાતા છે. આ વાત ગંભીરતાથી સમજવાની છે. જે “અન્યતું” છે, આત્માથી ભિન્ન છે, જડ પૌગલિક છે, એની ઇચ્છા ન કરવી. ભોગ-ઉપભોગ કરવો પડે તો કરવો, પરંતુ ઇચ્છા ન કરવી.
કેટલાંક ઉદાહરણો દ્વારા આ વાત સમજાવું છું. i ભોજન માત્ર હાથથી આવે અને મુખમાં જાય તો તે જ્ઞાનીનું ભોજન છે અને
ભોજન મનમાં રહે તો તે અજ્ઞાનીનું ભોજન છે. મનમાં ભોજન હોવું એટલે કે તે વિચારે કે આજે મોસમ સરસ છે. હલવો ખાવો જોઈએ. વડાં-પકોડાં ખાવાં
જોઈએ.... એ બતાવે છે કે એના મનમાં ભોજન છે. ' • જ્ઞાની મહેલમાં રહી શકે છે, પરંતુ એના મનમાં દિમાગમાં મહેલ નથી હોતો,
જ્યારે અજ્ઞાનીના મનમાં હોય છે. ભલેને તે ઝૂંપડીમાં રહેતો હોય. એના મનમાં મહેલના વિચારો ચાલતા રહેશે. જ્ઞાની મહેલમાં રહેતો હશે, પણ એના વિચારો.... વન, પર્વત વગેરેની બાબતમાં ચાલતા રહેશે. ગિરિ-ગુફાઓમાં જઈને ધર્મધ્યાનમાં નિમગ્ન થવાના ચાલતા હશે. જ્ઞાની સ્વજનોની વચ્ચે રહેતો હશે, પરંતુ એના મનમાં એકત્વના વિચારો ચાલતા રહેશે - “સંયમી બનીને, સિંહની જેમ એકલા જ જંગલમાં ક્યારે વિહાર કરીશ? મૌન બનીને ક્યારે કાયોત્સર્ગમાં રાતદિવસ પસાર કરીશ? વગેરે.'
અજ્ઞાની મનુષ્ય એકલો હશે તો તે પરિવાર વધારવાનો વિચાર કરશે - હું લગ્ન કરીશ. મારે બાળકો થશે. તેમનાં પણ લગ્ન કરીશ. તેમને ય બાળકો થશે” વગેરે વિચારો કરતો રહેશે. એના મનમાં પરિવાર વસી જશે.
આપણી વાત ચાલતી હતી ઇચ્છાઓ - ભૌતિક ઈચ્છાઓ કરવા અંગેની તીવ્ર ઈચ્છાઓથી મુક્ત થવાની. જીવનમાં જે અનાસક્તિ આવશ્યક છે એની ઇચ્છા ન કરવાની. તત્વજ્ઞાની સોક્રેટિસ:
એક દિવસે કેટલાક શિષ્યો સોક્રેટિસને એક મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં લઈ ગયા. એ દુકાનમાં કલા-કારીગરીની અનેક સુંદર વસ્તુઓ હતી સોક્રેટિસ સ્ટોરમાં ફર્યા. અનેક વસ્તુઓ જોઈ, પ્રશંસા કરી, પ્રસન્ન થઈને દુકાનની બહાર નીકળી ગયા. શિષ્યોએ પૂછ્યું: ‘આ બધું જોતાં તમારાં મનમાં કેવા વિચારો આવ્યા?”
| અન્યત્વ ભાવના
[૨૧]