SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્જનતા અને વિશુદ્ધ બુદ્ધિ! અન્ય શું જોઈએ? તમે કલ્પવૃક્ષની પાસે રહો. તમને એ તમામ ફળ મળવાનાં છે. અહીં વર્તમાન કાળમાં જેની પાસે આ ફળો છે, જેટલાં ફળો છે, તે તમામ ધર્મના પ્રભાવે જ છે. પૂર્વજન્મમાં કરેલી ધર્મઆરાધનાનાં એ ફળો છે. ધર્મનાં આ તમામ ફળો પ્રાપ્ત કરીને જો મનુષ્ય ધર્મપરાયણ બને - ધાર્મિકતાને જીવનમાં ઉતારે, તો. આગામી જન્મમાં પણ એ એવાં જ ફળ પ્રાપ્ત કરે. એનાથીય સારાં ફળો મેળવે છે. પરંતુ જો તે ધર્મથી પ્રાપ્ત થયેલાં સુખોમાં ઉન્મત્ત થઈને પાપાચરણ કરતો રહે, તો ફરીથી ધર્મના ફળસ્વરૂપ ભૌતિક સુખો એને નહીં મળે. એ દુઃખોના નરકમાં પડશે. એટલા માટે દાન-શીલ આદિ ધર્મ અને ક્ષમા-નમ્રતા આદિ ધર્મનો કદીય ત્યાગ ન કરો. ઘર્મની દુર્લભતા - એક કાવ્યઃ શ્રી જયસોમ મુનિરાજે ધર્મની દુર્લભતા ગાતાં કહ્યું છે - ધન ધન ધર્મ જગહિતકર, ભાખીયો ભલો જિનદેવ રે. ઈહ પરભવ સુખદાયકો, જીવડા જનમ લગે સેવ રે... ભાવના સરસ સુખલડી, રોળ તું હૃદય આરામ રે સુકત-તરુ લહિય બહુ પસરતી, સફળ ફલશે અભિરામ રે..૧ ખેત્ર શુદ્ધિ કરીય કરણારસે કાઢી મિથ્યાદિક સાલ રે ગુપ્તિ ત્રિહ ગુપ્તિ રુડી કરે નીક તું સુમતિની વાત રે..૨ સીંચજે સુગુરુ વચનામૃત, કુમતિ કંધેર તજી સંગ રે ક્રોધ માનાદિક સ્કરા, વાનરા વાર અનંગ રે.૩ સેવતાં એહને કેવલી, પનરચય તીન અણગાર રે ગૌતમ શિષ્ય શિવપુર ગયા. ભાવતા દેવગુરુ સાર રે..૪ શુક પરિવ્રાજક સીધલો, અર્જુનમાલી શિવવાસ રે. રાય પરદેશી અપાવીઓ, કાપીઓ તાસ દુઃખ પાસ ૨.૫ દુસમ સમય “દુખસહ” લગે, અવિચલ શાસન એહ રે. ભાવશ્ય ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે...૦ આ પ્રાચીન ગુજરાતી ભાષાનું કાવ્ય છે. આનો સંક્ષેપમાં તમને અર્થ બતાવું છું. ૧. ધન્ય હો ધન્ય હો ધર્મને - જે ધર્મ જિનેશ્વર દેવોએ કહ્યો છે. આ શ્રેષ્ઠ ધર્મ છે, આ ભવમાં અને પરભવમાં સુખ આપનાર છે. એટલા માટે હે જીવ! તું જીવનપર્યત આ ધર્મની આરાધના કર. ( ૨૬૨ શાન્તસુધારસઃ ભાગ ૨)
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy