________________
સત્ય-ક્ષમા-પર્વવ-શૌર–સંાત્યા ડડવા –વિવિયુવાઃ. यः संयमः किं च तपोऽवगूढश्चारित्रधर्मो दशधाऽयमुक्तः ॥ २ ॥ ૧. સત્ય, ૨. ક્ષમા, ૩. માર્દવ, ૪. શૌચ, ૫. સંગત્યાગ, ૬. આર્જવ, ૭. બ્રહ્મચર્ય, ૮. મુક્તિ, ૯. સંયમ, ૧૦. તપ. આ રીતે દશ પ્રકારનો ચારિત્રધર્મ બતાવ્યો છે.
પરમોપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્તસુધારસ કાવ્યગ્રંથમાં “ધર્મપ્રભાવ ભાવનામાં દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ બતાવીને બીજા શ્લોકમાં દશ પ્રકારનો ચારિત્રધર્મ બતાવ્યો છે. નિશ્ચયથી ધર્મ :
આ ચારિત્રધર્મની કેવળ બાહ્યક્રિયાઓ કરીને મેં ચારિત્રધર્મની આરાધના કરી લીધી,' એમ મનનો સંતોષ નથી માનવાનો. દશવિધ ધર્મ તો રસાયણ છે. એ રસાયણ જો તમે પીઓ તો તમારા મનમાં આનંદ ઉછળશે. જન્મ, જરા, મૃત્યુનાં દુઃખોનો ક્ષય થશે. આ લોક અને પરલોકમાં આત્માનું હિત થશે. આ વર્તમાન જીવનમાં પરમાનંદ પામશો અને પરલોકમાં અક્ષય સુખ, અનંત સુખ પામશો.
જે ધર્મથી આત્મા જન્મ, જરા અને મૃત્યુનાં દુઃખોનો તથા કર્મોનો ક્ષય કરે તે આત્માસ્વાભાવિક દશા પામીને અજર-અમર થાય છે. આ ધર્મનો પોતાનો સ્વભાવ છે. જે આત્મા પરપદાર્થોથી વિરક્ત બને છે, પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા અને એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ શુદ્ધ સ્વભાવી આત્માના ધ્યાનમાં એકાગ્ર થાય છે. તે નિશ્ચયરૂપે ચારિત્રધર્મનો સ્વાનુભવ પ્રાપ્ત કરે છે અને શુદ્ધોપયોગની ભૂમિકાને સ્પર્શે છે. આત્મસ્થ થવું ધર્મ છે
राग-रोस वे परिहरिवि जो अप्पाणि वसइ । सो थम्मु वि जिण-उत्तियढ जो पंचम गइ णेई ॥
- યોગાસરે ધર્મ આત્માનો પોતાનો સ્વભાવ છે. જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમય આત્માનું યથાર્થ શ્રદ્ધાન, જ્ઞાન તથા એમાં જસ્થિરતા, આ જ સ્વાત્માનુભવ ધર્મ છે. રાગ-દ્વેષના તીવ્ર પવનના ઝાપટાથી ઉપયોગ ચંચલ થાય છે, ત્યારે સ્વભાવ વિકારી બને છે. તે માટે રાગ-દ્વેષનો ત્યાગ કરીને પોતાના આત્મામાં જ વિશ્રામ કરો. તેમાં જ મગન રહો. આત્માના જ ઉપવનમાં રમંણ કરો. આત્મામાં જ પરમાનન્દદાયક મોક્ષપ્રાપક ધર્મ સ્વયં મળી જશે. સંસાર પ્રત્યે ઉદાસીન બનો. વિરક્ત બનો. સમભાવી બનો. ધર્મપ્રભાવ ભાવના
૨૫૭ |