________________
તું નથી કેનો ને હું નથી કેની રે
***ઈહ નથી કોઈ કેનું જી. ' મમતા-મોહ ધરે જે મનમાં
મૂર્ણપણું સવિ તેહનું જી... તુજ સાથે હે પુત્ર, સંસારમાં કોઈ કોઈનું નથી. તું કોઈનો નથી, તો હું પણ કોઈની નથી. જે જીવ પોતાના મનમાં મોહ-મમતા રાખે છે, તે તેની મૂર્ખતા છે. અનિત્યભાવે ચડ્યાં મરુદેવા
બેઠાં ગજવર બંધ રે. અંતગડ કેવલી થઈ ગયો મુગતે
રિખવને મન આણંદજી તુજ સાથે. અનિત્ય ભાવનાના ચિંતનમાં મરૂદેવા માતા નિમગ્ન બન્યા. હાથી ઉપર બેઠાં બેઠાં ધર્મધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં ચાલ્યાં ગયાં. કેવળજ્ઞાની બન્યાં અને એ સમયે આયુષ્ય પૂર્ણ થયું. તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની ગયાં. ધર્મનો પ્રભાવ : " ... इय दाणसीलतवभावणाओ जो कुणइ सत्तिभत्तिपरो ।
देविंद विंदमहियं अइरा सो लहइ सिद्धि सुहं ॥ શક્તિ અને ભક્તિ-ઉલ્લાસથી જે દાન-શીલતા અને ભાવ સ્વરૂપ ધર્મ કરે છે, તે અલ્પ સમયમાં દેવેન્દ્ર દ્વારા પૂજિત મોક્ષસુખ પ્રાપ્ત કરે છે.
ભાવધર્મ દાન, શીલ અને તપમાં અનુસૂત હોવો જોઈએ. ભાવ વગર દાન, શીલ, તપ વ્યર્થ છે. કહેવામાં આવ્યું છે.
धनं दत्तं वित्तं जिनवचनमभ्यस्तमखिलं क्रियाकांडं चण्डं रचितमवनौ सुप्तमसकृत् । तपस्तीवं तप्तं, चरणमपि जीर्णं चिरतरं, न चेत् चित्ते भावः तुषवपनवत् सर्वमफलम् ॥ હે આત્મનું, તેં ઘણા ધનનું દાન કર્યું. સમગ્ર જિનાગમોનું અધ્યયન કર્યું, ઉગ્ર ક્રિીડાકાંડ કર્યા, વારંવાર પૃથ્વી ઉપર શયન કર્યું, તીવ્ર તપ કર્યું, દીર્ઘ સમય સુધી ચારિત્ર પાળ્યું. પરંતુ જો આ બધામાં ભાવ ન આવ્યો, હૃદય ઉલ્લસિત ન થયું, આત્મા પ્રસન્ન ન થયો; તો સર્વ દાન, શીલ, તપનાં અનુષ્ઠાનો જમીનમાં ફોતરાં વાવ્યા બરાબર છે. એટલે કે નિષ્ફળ છે.
ગ્રંથકાર કહે છે એવો ધર્મ મારા મનમાં નિરંતર રહો, એનાથી જ આત્મહિત અને આત્મકલ્યાણ થાય છે.
આજે બસ, આટલું જ. [ ધર્મપ્રભાવ ભાવના જ
. ૨૫૫ |
ધર્મપ્રભાવ ભાવના
૨૫૫