SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જ. બીમારીની જડ છે આ રાગદ્વેષ! આ પ્રિય-અપ્રિયની કલ્પના. ભેદવિજ્ઞાન પ્રાપ્ત કરોઃ " ઉપાધ્યાયજીએ પૌદ્ગલિક ભાવોની સામે અંગુલિનિર્દેશ કરી દીધો છે કે તત્સવ પીવમેવ વિનિવત્ તવ ! તને જે કંઈ આંખોથી દેખાય છે, તે તમામ પારકું છે. તારું કશું જ નથી. પારકાંને પોતાનું માનવું એ મિથ્યાવૃષ્ટિ છે. એનું જ પરિણામ છે લડાઈ, કજિયા, મારામારી, લૂંટફાટ, હત્યા અને આતંક. . જ્યાં સુધી માનવ આધ્યાત્મિક નહીં બને, અંદર નહીં જુએ, ત્યાં સુધી આ લડાઈ, ઝઘડા, શોક, ભય વગેરે દૂર થવાનાં નથી. એ બધાંને અટકાવવાનો એક જ શ્રેષ્ઠ ઉપાય છે – ભેદવિજ્ઞાન. મારો એક પરિચિત શ્રીમંત યુવક છે. કરોડો રૂપિયા છે એની પાસે. તે પ્રભુપૂજા, સામાયિક આદિ ધર્મક્રિયાઓ પણ કરે છે. તો પણ તે વારંવાર માનસિક બિમારીનો શિકાર બની જાય છે. કોઈ વાર એને હર્ષોન્માદ ઘેરી લે છે તો કોઈ વાર ઉદાસીનતા ઘેરી લે છે. હર્ષોન્માદમાં તે હોશ ગુમાવી બેસે છે. ઉદાસીનતામાં આત્મહત્યા કરી લેવા તત્પર થઈ જાય છે. મને એની બિમારીનું કારણ લાગે છે - જડચેતનનું ભેદવિજ્ઞાન. આ “અન્યત્વ ભાવના' એનામાં દ્રઢ નથી થઈ. પુદ્ગલગીતા'માં ચિદાનંદજી કહે છે - ઈમ વિવેક હિરિદે મેં ધારી, સ્વ પર ભાવ વિચારો. કાયા-જીવ-જ્ઞાનવ્રુગુ દેખત, અહિ-કંચુકી જિમન્યારો. હૃદયમાં વિવેક એટલે કે ભેદજ્ઞાન ધારણ કરીને “સ્વ” અને “પર”નો વિચાર કરવો પડશે. આ જ જ્ઞાનદ્રષ્ટિથી શરીર અને જીવની જુદાઈ વિચારવી પડશે. જેમ સર્પ અને તેની કાંચળી ભિન-અલગ છે તેમ! શ્રી ચિદાનંદજીએ ભેદજ્ઞાનને 'વિવેક' કહ્યો છે. સામાન્ય બુદ્ધિવાળો મનુષ્ય ભેદજ્ઞાનને બદલે વિવેક' શબ્દથી વધારે પરિચિત હોય છે. વ્યવહારમાં પણ વિવેક શબ્દનો વધારે ઉપયોગ થાય છે. તેમણે પુદ્ગલગીતામાં વિવેક સંબંધમાં ખૂબ સરસ વાતો કરી છે. તેઓ કહે છે - રાગ ભાવ ધારત પુદ્ગલથી જે અવિવેકી જીવ પાય વિવેક, રાગ તજી ચેતન, બંધ વિગત સદીવ. અવિવેકી જીવ, એટલે કે જેના હૃદયમાં ભેદજ્ઞાનનો પ્રકાશ હોતો નથી, તે પુદ્ગલ પ્રેમી હોય છે. તેઓ પુદ્ગલ ભાવના રાગી હોય છે. પરંતુ જે વિવેકી હોય છે, જેના હૃદયમાં ભેદવિજ્ઞાનનું અજવાળું થઈ જાય છે, તે પુદ્ગલ પ્રેમને ત્યજી દે છે અને [ ૧૬ બિન | શાનસુધરસ ભાગ ૨)
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy