SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ રહેવાનાં જ. બહારનાં પૌદ્ગલિક આકર્ષણ થતાં રહેશે. પૌદ્ગલિક મોહ અને મૂર્ચ્છને ઓછી કરવા માટેના કોઈ ઉપાયો બહારની દુનિયામાં નથી. એ ઓછી કરવાનો એકમાત્ર ઉપાય છે - આપણા આત્માની અંદર ચાલ્યા જવું. જે વ્યક્તિ પોતાની અંદર ગઈ છે, એનાં પૌદ્ગલિક-વૈયિક આકર્ષણો છૂટ્યાં છે. સમ્યગ્દષ્ટિ થવું છે ? સમ્યગ્દર્શન પામવું છે ? તો પોતાની અંદર જવું જ પડશે. આત્માને જાણવો જ પડશે. આત્માભિમુખ થવું જ પડશે. જ્યાં સુધી ચેતન અને જડનું ભેદજ્ઞાન નહીં થાય અને આત્મરતિ નહીં હોય ત્યાં સુધી મનુષ્ય સમ્યગ્દષ્ટિ બની શકશે નહીં, એટલા માટે જીવ-અજીવ બંનેને જાણવા પડશે. “શ્રી દશવૈકાલિક સૂત્ર”માં કહેવામાં આવ્યું છે કે - જો જીવે વિ ન યાણાઈ, અજીવે વિ ન યાણઈ । જીવાજીવે અયાણતો, કહું સો નાહિઈ સંમ્ ॥ જે જીવને નથી જાણતો, અજીવને નથી જાણતો, જીવ અને અજીવ બંનેને નથી જાણતો એ સંયમને કેવી રીતે જાણશે ? જીવ અને અજીવને ન જાણવા, આત્મા અને અનાત્માને ન જાણવા, જડ અને ચેતનને ન જાણવા એ માત્ર બહિરાત્મદશા છે. બહિરાત્મદશાનો અર્થ છે માત્ર પૌલિક, વૈયિક જીવન જીવવું. જે મનુષ્ય પુદ્ગલમાં મૂર્છિત રહે છે એનો દૃષ્ટિકોણ ભૌતિક હોય છે અને જે મનુષ્ય આત્માનુભવમાં જીવે છે એનો દૃષ્ટિકોણ આધ્યાત્મિક હોય છે. એવી વાત નથી કે આધ્યાત્મિક મનુષ્ય વિષયોનો ઉપભોગ કરતો નથી, કરે છે, પરંતુ એમાં આસક્ત થતો નથી, એમાં એકરૂપ નથી રહેતો; એની ચેતના ૫રભાવથી, પુદ્ગલ ભાવથી ૫૨ રહે છે. જે મનુષ્ય આત્માને નથી જાણતો, જેની આત્મામાં રતિ નથી હોતી તે માત્ર અવિવેકી અને અજ્ઞાની છે. હર્ષ, ભય, શોક, ખુશી.... બધું જ પુદ્ગલના કારણે ઃ જેની અંદર થોડોક પણ આત્મપ્રેમ પેદા થયો છે, જે પુદ્ગલની દુનિયાથી અસ્પૃષ્ટ આત્માનુભવની દુનિયામાં જવા ઇચ્છે છે, તેને માટે ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીની આ ‘શાન્તસુધારસ’ની રચના ખૂબ જ મૂલ્યવાન છે. આ રચના માત્ર આત્માર્થી જીવો માટે જ ઉપકારી છે એવું નથી, પરંતુ ભૌતિક, પૌદ્ગલિક પદાર્થોના રાગી જીવો માટે પણ એટલી જ ઉપકારક છે. આરોગ્યના ગ્રંથોમાં અનેક માનસિક બીમારીઓના હેતુ પૌદ્ગલિક રાગ, વિષય રાગ માનવામાં આવ્યો છે...એટલે કે માનસિક બીમારીની પાછળ ભય, શોક, કામ, ક્રોધ આદિ હેતુઓ છે. આ બધો વૈયિક રાગનો જ પરિવાર છે. મૂળ બીમારી છે - પૌદ્ગલિક પ્રેમ ! વૈષયિક રાગ ! અને રાગ છે તો દ્વેષ છે જ! પ્રિય છે તો અપ્રિય છે જ. ઇષ્ટ છે તો અનિષ્ટ હશે અન્યત્વ ભાવના ૧૫
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy