SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिशं मोदसे, यद्यच्छोचसि यद्यदिच्छसि हुदा यत्प्राप्य पेनीयसे । स्निग्धो येषु निजस्वभावमलं, निर्लोट्य लालप्स्यसे, तत्सर्वं परकीयमेव भगवन, आत्मन्न किञ्चित्तव ॥ ३ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ ગ્રંથની અન્યત્વ ભાવનાનું વર્ણન કરતાં કહે છે કે હે આત્માનું, તું જેને માટે ભરપૂર પ્રયત્ન કરે છે, જાતજાતના ભયોથી આતંકિત રહે છે, કોઈ વાર તું ખુશીમાં નાચે છે, કોઈ વાર ઉદાસીન થઈ જાય છે અને વ્યાકુળ થઈ ઊઠે છે. નારાજીમાં હતાશ થઈ જાય છે, કોઈ વાર મનવાંચ્છિત પ્રાપ્ત કરીને જે પદાર્થોની પાછળ પાગલ બને છે તે સર્વે પદાર્થો પરાયા છે, કશું જ તારું નથી. શું નિજનું, શું પરનું ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છે કે તું કોને માટે અર્થ અને કામનો આટલો પુરુષાર્થ કરે છે? તું આટલો ભયાકાન્ત કેમ રહે છે? આટલી ખુશી, આટલી ઉદાસી - વ્યાકુળતા અને કોઈ વાર આટલી નારાજગી શા માટે? જે વસ્તુઓ માટે તું આટલું બધું કરી રહ્યો છે તે શું એ બધું તારું છે? ના. તારું નથી. તું તારો આત્મસ્વભાવ ભૂલીને, પરપદાર્થોની પાછળ, પૌદ્ગલિક પદાર્થોની પાછળ પાગલ બન્યો છે. યાદ રાખ, જે પરપદાર્થો છે તે તારા નહીં બની શકે ! જો જીવાત્મા આત્મસ્વભાવમાં લીન રહે તો હર્ષ-શોકનાં દ્વન્દ નહીં ઊઠે. ન તો : ઉદાસીનતા આવશે, ન વ્યાકુળતા રહેશે. તે રીતે ન નારાજગી રહેશે. જીવ શાન્ત, સ્વસ્થ અને નિરાકુલ રહેશે. જેમ જેમ આત્મભાવમાં લીનતા વધશે તેમ તેમ આત્માનન્દ, પરમાનન્દનો અનુભવ થશે. પરપદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવશે. પૌદ્ગલિક વૈષયિક સુખો પ્રત્યે રાગદ્વેષ ઓછા થઈ જશે. મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે શું આપણું છે અને શું પારકું છે, એ વાત સારી રીતે સમજી લેવાની છે. જીવ અનંત જન્મોમાં આ વાત સમજ્યો નથી. સ્વયંને ભૂલીને પદ્રવ્યોને સમજવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે, આત્માનો, આત્માના ગુણોનો, આત્માની શક્તિનો વિચાર જ નથી કર્યો, પ્રાપ્ત કરવાની તો વાત જ શું? પરિણામ સ્વરૂપ ભય, શોક, હર્ષ, વિષાદ, ઉદાસી, વ્યાકુળતા, અશાન્તિનો શિકાર બની ગયો છે, આપણી અંદર જવાનું છેઃ જ્યાં સુધી બહારની દુનિયામાં જોતા રહેશે ત્યાં સુધી ભય-શોક આદિ દ્વન્દ્રો [ ૧૪ જ શાન્ત સુધારસઃ ભાગ ૨ |
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy