________________
વિષય ઉપર વિવેચન કરીશું. સૌથી પહેલાં દાનધર્મની વાત કરું છું. દાનધર્મ :
દાનની પરિભાષા છે - સ્વચ ૩૯ રનમ્ ! જે પોતાનું છે એનો ત્યાગ કરવો એ દાન છે. જેને ભૌતિક પદાર્થો ઉપર આસક્તિ ઓછી થાય છે અને ભક્તિ, અનુકંપા, દયા, કરુણા આદિ ગુણો જેવાં હોય છે એ પુણ્યશાળી લોકો ધર્મની, દાનધર્મની આરાધના કરી શકે છે. દાનધર્મ એવો છે કે જેન હોય કે જેનેતર હોય - કોઈ પણ હોય, તે સહુ દાન કરી શકે છે. દાનનો મહિમા બતાવતાં કહેવામાં આવ્યું છે કે दाणं सोहग्गकरं, दाणं आरूग्गकारणं परमम् ।
दाणं भोग निहाणं, दाणं ढाणं गुणगणानाम् ॥ દાન સુખ-સૌભાગ્યકારી છે. ધન પરમ આરોગ્યકારી છે. દાન પુણ્યનિધાન છે. અને દાન અનેક ગુણોનું સ્થાન છે.
दाणेण फुरइ कित्ती, दाणेण होइ निम्मला कंति । . दाणायज्जिअहिअओ वेरी वि हु पाणियं वहइ ॥ દાનથી કીર્તિ વધે છે, દાનથી નિર્મળ શરીરકાન્તિ વધે છે અને દાનથી વશ થયેલો શત્રુ પણ દાતાને ઘેર પાણી ભરે છે. धणसत्थवाहजम्मे जं घयदाणं कयं सुसाहूणं ।
। तक्कारणमुसभ-जिणो तेलुकपियामहो जाओ ॥ .. ધન સાર્થવાહના ભવમાં સાધુપુરુષોને જે ઘીનું દાન દીધું હતું, એના પુણ્યના પ્રભાવે ઋષભદેવ ત્રણે લોકના પિતામહ - નાથ બન્યા. ભગવાન ઋષભદેવનો પૂર્વજન્મઃ
ભગવાન ઋષભદેવનો આત્મા જે ભવમાં સમકિત પામ્યો, એ ભવ હતો ધન સાર્થવાહનો. ધન શ્રેષ્ઠીનો મહાવિદેહ ક્ષેત્રની આ વાત છે. ત્યાં ક્ષિતિપ્રતિષ્ઠ' નામનું નગર હતું, ત્યાંનો રાજા હતો પ્રસન્નચંદ્ર અને એના નગરમાં ધન સાર્થવાહ હતો. આમ તો એ જેવો મોટો શ્રીમંત હતો એવો જ ઔદાર્ય, ગાંભીર્ય આદિ ગુણોથી સુશોભિત હતો.
એક દિવસ પોતાનો કાફલો લઈને તેને વસંતપુર જવાની ઈચ્છા થઈ. તેણે નગરમાં ઘોષણા કરાવી કે “ધન સાર્થવાહ વસંતપુર જવાનો છે. જેને વસંતપુર જવું હોય તે ધન સાર્થવાહની સાથે આવી શકે છે. જેની પાસે વાસણો નહીં હોય તેને
૨૪૬
શાન્ત સુધારસ : ભાગ ૨