SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પ્રતિક્રમણ આદિ ક્રિયાઓમાં ૪. ઉપસર્ગ દિવાદિના) આવતાં, એ પર વિજય પામવા દોષરહિત કાયોત્સર્ગ કરવા પૂર્વે અપૂર્વ કર્મનિર્જરા થાય છે. છઠ્ઠ આત્યંતર તપ છે - શુભધ્યાનઃ શુભધ્યાન એટલે ધર્મધ્યાન “શ્રીહારિભદ્રી અષ્ટક' ગ્રંથમાં ધર્મધ્યાનની યથાર્થ અને સુંદર સ્તુતિ કરવામાં આવી છે. શુભધ્યાન: ૧. હજારો ભવોમાં ઉપાર્જિત કરેલાં અનંત કર્મોના ગહન વન માટે અગ્નિ સમાન ૨. સર્વ તપભેદોમાં શ્રેષ્ઠ છે. ૩. આંતર તપ ક્રિયારૂપ છે. ધર્મધ્યાનનાં ચાર લક્ષણો છે: ૧. આજ્ઞારુચિઃ શ્રી જિનેશ્વરદેવના વચનની અનુપમતા, કલ્યાણકારિતા, સર્વ સતુતત્ત્વોની પ્રતિપાદકતા વગેરે જોઈને એની ઉપર શ્રદ્ધા રાખવાની છે. ૨. નિસગરુચિ જ્ઞાન-દર્શનચારિત્રમય આત્મપરિણામ. ૩. ઉપદેશરુચિ જિનવચનો - ઉપદેશ સાંભળવાની ભાવના. ૪. સૂત્રરુચિઃ ૧૨ અંગ આગમોનું અધ્યયન અને અધ્યાપન - તેના અધ્યયનની ભાવના. ધર્મધ્યાનનાં ચાર આલંબનો છે: (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તન અને (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છેઃ (૧) અનિત્ય ભાવના (૨) અશરણ ભાવના (૩) એકત્વ ભાવના (૪) સંસાર ભાવના એ રીતે શુભધ્યાનની ક્રમશઃ ચાર ચિંતનધારાઓ બતાવવામાં આવી છે? ૧. આજ્ઞાવિચય જિનવચન જ પ્રવચન છે. આ છે આજ્ઞા. આજ્ઞાના અર્થનો નિર્ણય કરવો વિચય છે. ૨. અપાય-વિચય આસ્રવ,વિકથા, ગારવ, પરીષહ આદિ અપાયોનું ચિંતન કરવું. નિરા ભાવના ૨૩૯
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy