________________
૮. અવિનયી કુલવાલુકમુનિનું પતન થયું હતું. એ વેશ્યાગામી બન્યો હતો, એ
દીર્ઘકાળ સંસાર ભ્રમણ કરશે. ૯. વિનીત શિષ્ય ગુરુ પ્રત્યે રોષ કરતો નથી. ૧૦. વિનીત શિષ્ય પોતાના દોષોનું નિરીક્ષણ કરે છે. જેમ નૂતન દીક્ષિત મુનિ
પોતાની ભૂલ તરત જ માની લે છે, એ રીતે. ૧૧. વિનયથી ગુણવૃદ્ધિ થાય છે. ૧૨. વિનયથી યશ વધે છે. ૧૩. ધર્મનું મૂળ વિનય છે. ૧૪. વિનયી ઉપર દેવ અસુર પ્રસન્ન રહે છે. ૧૫. વિનયથી ભવ - પરભવમાં કાર્યોની સિદ્ધિ થાય છે. ૧૬. સર્વે ગુણો વિનયને આધીન છે. ૧૭. વિનીત સરળ આશયવાળો હોય છે.
આ રીતે વિનયતપની આરાધના કરવી જોઈએ. પાંચમું આત્યંતર તપ છે - કાયોત્સર્ગઃ
કાયોત્સર્ગની વ્યાખ્યા કરતાં પ્રવચનસારોદ્વારમાં કહ્યું છે કે કાયોત્સર્ગમાં સ્થાન, મૌન અને ધ્યાન મહત્ત્વપૂર્ણ છે. શ્વાસોચ્છવાસ સિવાય તમામ ક્રિયાઓનો. ત્યાગ કરવાનો હોય છે. કાયોત્સર્ગમાં ૧૯ દોષોનો ત્યાગ કરવાનો હોય છે. એ સિવાય પણ છ દોષો દૂર કરવા જોઈએ? ૧. કાયોત્સર્ગ એના નિયત સમય દરમ્યાન જ કરવું જોઈએ. ૨. વ્યાક્ષેપ - ચંચળતામાં મન હોય ત્યારે, આસક્ત હોય ત્યારે નહીં ૩. લોભાસક્ત ચિત્તથી ન કરવું. ૪. પાપકાર્યમાં મન ઉદ્યત હોય ત્યારે ન કરવું. ૫. વિમુખ ચિત્તથી કાયોત્સર્ગ ન કરવું. ૬. આસન આદિ ઉપર ઊભા રહીને ન કરવું. કાયોત્સર્ગ કરવાનાં મુખ્ય કારણો: ૧. આમ તો કાયક્લેશના ધ્યેય સાથે ૨. કોઈ વાર પરાજય થતાં
[૨૩૮
૨૩૮
| શાનસુધારસ : ભાગ ૨)