SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય વિનીતની ઉપરે રે, ગુરુ મન હોય સુપ્રસન્ન, આપે તેહને ઉજળું રે, આગમ-વચન રતન રે... પ્રાણી...૨ ગુરુદ્રોહી મત્સરભર્યા રે, ન કરે ગુરુ બહુમાન, તે અપમાન લહે ઘણું રે, જિમ કોહ્યા કાનનો શ્વાન રે... પ્રાણી...૩ શુકર જેમ ત્યજી શાલી રે, અશુચિ કરે આહાર, તેમ અવિનીતને વાલહો રે, અવિનયનો આચાર રે... પ્રાણી...૪ ગુરુ અવિનય કુલ બાલુઓ રે, પડીઓ ગણિકા પાસ, ભવમાં હું મળશે ઘણું રે, બાંધી કર્મ નિરાશ રે... પ્રાણી...૫ ગુરુવચને રૂપે નહીં રે, જાણે આપણો વાંક, તે નવદીક્ષિતની પરે રે, સાથે સાધ્ય નિઃશંક રે... પ્રાણી...૬ વિનયથી ગુણ વધે ઘણા રે, જગમાં લહે જસવાદ, ધર્મનું મૂળ વિનય કહ્યો રે, સેવો ત્યજી પ્રમાદ રે... પ્રાણી...૭ વિનયથી રીઝે દેવતા રે, વિનયથી દાનવ વશ થાય, વિનયથી ઈહભવ-૫૨ભવે રે, કાર્ય સિદ્ધિ સવિ થાય. પ્રાણી...૮ વિનયને વશ છે ગુણ સર્વ રે, તે માર્દવથી થાય, માટે વિનીત સરલાશયી રે, પામે સુયશ સવાઈ રે... પ્રાણી...૯ વાચક રામવિજય કહે રે, વિનય કરે તે ધન્ય, અધ્યયને પહેલે કહ્યાં રે, સાચાં વીરનાં વચન રે... માણી...૧૦ આ કાવ્યરચના ગુજરાતી ભાષામાં જ છે. એટલા માટે આ કાવ્યમાં બતાવેલી વાતો તમે સરળતાથી સમજી શકશો. ૧. ગુરુ આજ્ઞાનો સ્વીકાર કરો. ૨. ગુરુનો ઉપદેશ શ્રદ્ધાથી સાંભળતા રહો. ૩. સ્વચ્છંદનો ત્યાગ કરો. ૪. વિનીત શિષ્ય ઉપર ગુરુપ્રેમની વર્ષા. ૫. વિનીત શિષ્યોને ગુરુ શાસ્ત્રજ્ઞાન આપે છે. ૬. જે (શિષ્યો) ગુરુદ્રોહી, ગુરુઈર્ષાથી ભરેલા હોય છે, ગુરુનું બહુમાન કરતા નથી, અપમાન કરે છે, એ સડેલા કાનવાળા કૂતરા જેવા હોય છે. ૭. જેવી રીતે ભૂંડ ભાત છોડીને વિષ્ટા ખાય છે, એ રીતે અવિનીતને અવિનય પ્રિય હોય છે. નિર્જરા ભાવના ૨૩૭
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy