________________
મહત્ત્વની વાત તો એ છે કે જે સ્ત્રી સાથે ૧૨ વર્ષ સુધી રંગરાગ અને ભોગવિલાસમાં ડૂળ્યા હતા, પત્ની કરતાંય વિશેષ પ્રેમ કર્યો હતો. જે સ્ત્રી ઉપર, એની સામે ચાર-ચાર માસ સુધી નિર્વિકાર રહેવું - આત્મભાવમાં રહેવું, શું સરળ કામ છે? પરંતુ સ્વાધ્યાયમાં, તત્ત્વચિંતન-મનનમાં નિરત મુનિ માટે એ સરળ થઈ ગયું! એટલું જ નહીં, સ્થૂલભદ્રજીએ કોશાને બારવ્રતધારી શ્રાવિકા બનાવી હૃદયમાં સુદેવ ગુરુ અને સધર્મની શ્રદ્ધા જગાવી.
જિનશાસનમાં મહામુનિ દુબલિકા - પુષ્યમિત્રનું વર્ણન પણ આવે છે. એ એટલા તો સ્વાધ્યાયનિરત રહેતા હતા કે ખાધુપીધું બધું જ જ્ઞાનાગ્નિમાં બળી જતું હતું અને તે દુર્બળ શરીરવાળા જ રહેતા હતા. જ્યારે એક સાથે હજાર આયંબિલ કરનારાઓનાં શરીર ભારે બની જતાં હતાં. તે માત્ર આયંબિલ કરીને સંતોષ માની લેતા હતા. ન સ્વાધ્યાય, ન ધ્યાન, ન વૈયાવચ્ચ, ન પરિશ્રમ.
સ્વાધ્યાય શ્રેષ્ઠ તપ છે. એ કર્મોને બાળી નાખે છે અને શરીરને વધવા પણ દેતું નથી. મનને વિકારી બનવા દેતું નથી. વિનય - એક વિશિષ્ટ તપઃ
ચોથું આત્યંતર તપ છે વિનય. પ્રશમરતિમાં કહ્યું છે - વિનાયત્તા ગુમ સર્વે | સર્વે ગુણ વિનયને આધીન છે. વિનય આવે છે તો તમામ ગુણો આવી જાય
Lછે.
विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिविरतिकलं चावनिरोधः ॥ ७२ ॥ संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात्क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥ ७३ ॥ योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः।
तत्स्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥ ७४ ॥ વિનયનું ફળ શ્રવણ, (ગુરુની પાસે કરેલું) શ્રવણનું ફળ આગમજ્ઞાન, આગમજ્ઞાનનું ફળ વિરતિ, વિરતિનું ફળ સંવર, સંવરનું ફળ તપશક્તિ, તપનું ફળ નિર્જરા, નિર્જરાનું ફળ ક્રિયાનિવૃત્તિ, ક્રિયાનિવૃત્તિથી નિરોધ, નિરોધથી ભવપરંપરાનો ક્ષય થાય છે. જન્મ-મૃત્યુની પરંપરા ક્ષય હોવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે. એટલા માટે સર્વ કલ્યાણોનું ભાજન વિનય છે.
એક પછી એક સર્વ કલ્યાણોની પ્રાપ્તિ કરાવનાર વિનય છે. ગુરુમુખથી તત્ત્વશ્રવણ, આગમજ્ઞાન, સર્વ પાપોથી વિરતિ, આસવોનો નિરોધ, તપશક્તિ, નિર્જરા ભાવના છે.
૨૩૫ |