________________
માયા - મોટી અશુદ્ધિઃ
માયા સ્વયં એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે. માયાની આગમાં આખીય આંતરગુણની સંપત્તિ બળીને રાખ થઈ જાય છે. સર્વનાશ થઈ જાય છે. આંતરવિકાસનું દ્વાર બંધ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ર ઘર્મના પતિ શુદ્ધાત્મા ! અશુદ્ધ આત્મા ધર્મની આરાધના કરી શકતો નથી.
માયા આચરીને, કપટ કરીને તમે સુખ પામવા ઇચ્છો છો? કોઈને કોઈ સુખની કલ્પનાથી પ્રેરાઈને માયા કરવા માટે તૈયાર છો ને? શું એ સુખ અક્ષય હશે? એ સુખ અનંત હશે? નહીં જ ને? તે હશૈક્ષણિક અને કલ્પના માત્રનું, તે હોય છે માત્ર બાહ્ય દેખાવનું. માયાવી મનુષ્ય - કપટી મનુષ્ય કદીય આંતરિક સુખ પામી શકતો નથી. માયાની સાથે અશાન્તિ જોડાયેલી જ છે. ચિત્તની ચંચળતા જોડાયેલી જ છે. પ્રાયશ્ચિત્ત કોની પાસેથી લેવું??
પ્રાયશ્ચિત્ત ગીતાર્થ ગુરુઓ પાસેથી લેવાનું હોય છે. ગીતાર્થ એટલે જેમણે પ્રાયશ્ચિત્તના આગમગ્રંથોનું અધ્યયન કર્યું હોય અને ગુરુપરંપરાથી પ્રાયશ્ચિત્ત વિધિના જાણકાર હોય. પ્રવચન સારોદ્ધાર' નામના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે એવા ગીતાર્થ ગુરુની શોધ ૭00 યોજન ક્ષેત્રાવધિમાં કરવી જોઈએ. જો નજીકમાં એવા ગુરુન મળે તો બાર વર્ષ સુધી રાહ જોવી જોઈએ. જો આ રીતે શોધતાં શોધતાં ગુરુ ન મળે અને મૃત્યુ થઈ જાય તો પણ વિશુદ્ધ અધ્યવસાયને કારણે, એ તો આરાધક' જ ગણાય છે. આરાધનાનું પુણ્ય એને મળે જ છે.
શોધવા છતાં સકલ ગુણસંપન્ન ગુરુ-ગીતાર્થ પ્રાપ્ત ન થાય તો - જે સંવિગ્ન ગીતાર્થ હોય એમની પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. - એ પણ ન મળે તો સંવિગ્ન ગીતાર્થ પાક્ષિક ગુરુની પાસે આલોચના કરીને
પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. - એ પણ ન મળે તો સિદ્ધ ભગવંતની સમક્ષ આલોચના કરીને ય પાપ આલોચના
તો કરવાની જ હોય છે. તૈયાવૃત્ય તપઃ
આમ બીજું આત્યંતર તપ વૈયાવૃત્ય' નામથી પ્રસિદ્ધ છે. એનો અર્થ છે - સેવા, શુશ્રષા. વૈયાવચ્ચ ૧૦ પ્રકારની છે. એટલે કે દશ પ્રકારના ગુણીજનોની સેવા કરવાની છે. વિશેષ રૂપે સાધુ માટે એ બતાવવામાં આવી છે.
નિર્જરા ભાવના
૨૩૧]