________________
ઠંડી સહન કરવી, કેશલુંચન કરવું, પગે ચાલવું. શારીરિક કષ્ટ સહન કરવાની શક્તિ મેળવવી જોઈએ. તરસ લાગે ત્યારે તરત જ પાણી પીવું ન જોઈએ. આ બધું સ્વેચ્છાએ કરવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે.
આપણું આ જીવને વિચિત્ર છે. કોઈ પણ સમયે કષ્ટ આવી પડે છે. કષ્ટ સહન કરવાનો અભ્યાસ હશે તો વાસ્તવિક કષ્ટ આવતાં તમે ગભરાઈ નહીં જાઓ. વિચલિત નહીં બનો. સ્વસ્થ અને બેચેન નહીં બનો. • કોઈ વાર મજબૂરીથી તડકામાં ચાલવું પડ્યું. - કોઈક વાર ભારે ઠંડીમાં રાત વિતાવવી પડી. - કોઈ વાત તીવ્ર ગરમીમાં રહેવું પડ્યું. - કોઈ વાર તરસ લાગવા છતાં પાણી ન મળ્યું.
આ બધાં કષ્ટો સહન કરવાનો અભ્યાસ હશે, તો દીનતા નહીં થાય. કાયક્લેશ તપ - સાધુજીવનમાં વિશેષઃ
સાધુજીવનમાં કાયક્લેશ તપ વિશેષ રૂપે થાય છે. મુખ્ય રૂપે તો કેશલુંચન અને પાદવિહાર. આ તપમાં વિશિષ્ટ કર્મનિર્જરા થાય છે અને કષ્ટો સહન કરવાની શક્તિ વધે છે. સાધુજીવનમાં આમેય વિશિષ્ટ કો આવે છે. એ કોને સમતાભાવે સહન કરવાનાં હોય છે. મુખ પર પ્રસન્નતાને અખંડ રાખીને સહન કરવાનાં હોય છે. .
ગૃહસ્થ જીવનમાં તમે લોકો કષ્ટોથી દૂર ભાગવાનું વિચારી રહ્યા છો. કષ્ટ, આવતાં ભયભીત થઈ જાઓ છો. કોઈ વાર શોક, રૂદન અને આનંદ પણ કરો છો. આ કાયરતા છે. નિઃસત્ત્વતા છે. તમે ભગવાન મહાવીરના ૧૦ મહાશ્રાવકોનું જીવનચરિત્ર વાંચજો, કંઈક પ્રેરણા મળશે. કંઈક સાત્ત્વિકતા પ્રાપ્ત થશે, તો જીવન સંગ્રામમાં હારશો નહીં. યાદ રાખજો કે જાણી બૂઝીને કષ્ટ સહન કરવાથી કર્મનિર્જરા થાય છે. જેમ જેમ કમનિર્જરા થતી જાય તેમ તેમ આત્મા નિર્મળ, પવિત્ર અને પ્રસન્ન થતો જશે.
આ રીતે બાહ્ય છ તપ બતાવ્યાં. હવે પછી આત્યંતર - આંતરિક છ તપ અંગે વિવેચન કરશું. -
આજે બસ, આટલું જ.
નિર્જરા ભાવના
૨૨૭