SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પામરતા નિહાળવા મળે છે ત્યારે દુઃખ થાય છે. તપ પૂર્ણ થયા પછી રાત્રિભોજન, અભક્ષ્ય કંદમૂળ આદિનું ભક્ષણ, ક્રોધલોભાદિનું યથાવત્ રહેવું. ઈત્યાદિ સહજ થઈ ગયું છે. તપશ્ચયથી સર્વ પ્રથમ તો મનુષ્યનું જીવન સદાચારી, નિર્વ્યસની, શાન્ત-પ્રશાંત અને સંયમી હોવું જરૂરી છે. તપ કરનારાઓની પાસે પરિવારની, સમાજની થોડીક સારી અપેક્ષાઓ હોય છે. તપસ્વીએ પોતાના વ્યક્તિત્વને નિષ્કલંક અને ગુણમય બનાવવું જોઈએ. એક અજીબ અનુભવઃ છ વર્ષ પૂર્વેની આ ઘટના છે. અમે વિહાર કરતા કરતા ગુજરાતના એક ગામમાં ગયા. એ ગામમાં એક સાથે સાત સ્ત્રીઓ - જે શ્રાવિકાઓ હતી તે વંદન કરવા માટે આવી. વંદન કરીને તેમણે ઉપવાસનું પચ્ચખાણ માગ્યું. મેં આપ્યું. સાતને વરસીતપ ચાલતું હતું. મેં કહ્યું હવે એક બીજી પ્રતિજ્ઞા લઈ લો. તેમણે પૂછ્યું: “કઈ પ્રતિજ્ઞા ?” કહ્યું "ઉપવાસને દિવસે ક્રોધ ન કરવો, કોઈની સાથે ઝઘડો ન કરવો.’ તેમણે કહ્યું: ‘આ પ્રતિજ્ઞા તો ન લઈ શકીએ.’ મેં કહ્યું: ‘જો ૩૬ કલાક ભોજન વગર રહી શકો છો, ઉપવાસ કરી શકો છો તો પછી ક્રોધનો ત્યાગ શા માટે કરી શકતાં નથી? તેમણે પ્રતિજ્ઞા ન લીધી, બધી ચાલી ગઈ. વિચારો. ઉપવાસમાં તમે ક્રોધ કરો તો તમે કેવા લાગો?તમારા વ્યક્તિત્વને દાગ લાગે છે કે નહીં? એ રીતે ઉપવાસના પારણે તમારી અપેક્ષા પ્રમાણે ખાવ ન બને કે એક-બે વસ્તુઓ ન બની તો સમતાપૂર્વક તમે પારણાં કરી શકશો? તમે તપસ્વી હો તો તમારે તપનું ગૌરવ વધારવું જોઈએ. મોટી તપશ્ચર્યા કરનારાઓએ પોતાના તપની પ્રસિદ્ધિથી દૂર રહેવું જોઈએ. તમે તપશ્ચય જેટલી ગુપ્ત રાખશો એટલી કર્મનિર્જરા વધારે થશે. તપનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થશે. તપની સિદ્ધિથી તપનું ફળ નાશ પામે છે. ઓછું મળે છે. મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે કેઃ - એક છોકરો એટલા માટે તપ કરતો ન હતો કે એના પિતા ખૂબ તપ કરતા હતા. સાથે ખૂબ ક્રોધી સ્વભાવના હતા. - એક છોકરો એટલા માટે સામાયિક કરતો ન હતો કે તેની માતા સામાયિકમાં ખૂબ ગુસ્સો કરતી હતી. - એક મહાનુભાવ સારું દાન આપતા હતા, છતાં પણ એમની પ્રશંસા થતી ન હતી, કારણ કે તે પહેલાં ગુસ્સો કરતા અને પછીથી દાન આપતા. [ નિર્જરા ભાવના ૨૨૩ |
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy