________________
વસ્તુઓ મળતી હોય, પરંતુ હું તો માત્ર બે-ચાર વસ્તુઓ દ્વારા જ મારું ભોજન
પૂર્ણ કરીશ. ૪. રસત્યાગઃ રસોનો ત્યાગ કરીશ- દૂધ, દહીં, ઘી, ગોળ, મિઠાઈ વગેરે રસપ્રચર દ્રવ્યોનું સેવન નહીં કરું. અત્યંત આવશ્યકતા આવી પડતાં અલ્પમાત્રામાં જ
સેવન કરીશ. ૫. કાયક્લેશ શરીરને સાચવીશ નહીં. કેટલાંક કષ્ટ સહન કરવાની આદત
પાડીશ. કલાકો સુધી કાયોત્સર્ગ ધ્યાનમાં લીન રહીશ. ઊભડક આસને બેસીશ. ગરમીના દિવસોમાં ગરમી અને ઠંડીના દિવસોમાં ઠંડી સહન કરવાની
આદત પાડીશ. ૬. સંલીનતા : કાચબાની જેમ મારી ઇન્દ્રિયોને સંગોપિત રાખીશ. ઇન્દ્રિયોને
આત્મભાવમાં - આત્મચિંતનમાં લીન રાખીશ. મનને પણ આર્તધ્યાન - રૌદ્રધ્યાનમાં નહીં જવા દઉં. ક્રોધાદિ કષાયોનો નિગ્રહ કરીશ. આમ તો સંલીનતાના બે પ્રકારો છે - ઇન્દ્રિય સંલીનતા અને નોઈદ્રિય સંલીનતા..
જે રીતે કાચબો પોતાનાં અંગોને છુપાવી રાખે છે. એ રીતે સાધુ પોતાનાં અંગ -ઉપાંગોને છુપાવી રાખી - ગોપિત રાખી શરીરને નિરર્થક હાલવા-ચાલવા ન દે. ઈન્દ્રિયોને નિરર્થક ગમન-અગમન કરવા ન દે; ચંચળ ન બનવા દે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને વિષયોમાં જતી ઈન્દ્રિયોને રોકે અને ઇન્દ્રિયોને શુભ ભાવમાં જોડી રાખે.
નોઈદ્રિય એટલે કે મન. જે રીતે ઇન્દ્રિયોની સંલીનતાને તપ કર્યું છે, એ રીતે મનની સંસીનતાને પણ તપ કહ્યું છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્ત મન સંલીન કહેવાય છે. જ્યારે મનમાં ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, એ વખતે મન સંલીન નથી રહી શકતું. ઉદ્વિગ્ન રહે છે, સંતપ્ત રહે છે. એટલા માટે ક્રોધાદિ કષાયો મનમાં આવે જ નહીં એ રીતે મનને જ્ઞાનોપાસનામાં - ધ્યાનસાધનામાં અને ચરિત્રની ક્રિયામાં જોડાયેલું રાખો. ઉપવાસ અને તપઃ
ઉપવાસ અને આયંબિલ આ યુગમાં પણ વધતાં રહ્યાં છે. જે સમયમાં વિષયોનો ભોગ-ઉપભોગ જ જીવનનો પર્યાય બની ગયો છે, દુરાચાર અને વ્યસન જ સર્વવ્યાપી બન્યા છે, એ સમયમાં આપણા જૈન સમાજમાં મહિનાના ઉપવાસ, ૧૫૧૬ દિવસના ઉપવાસ, આઠ દિવસના...ચાર..ત્રણ, બે એક દિવસના ઉપવાસો પણ વધતા જાય છે. સારું છે. પરંતુ આવી તપશ્ચર્યા કરનારાઓના જીવનમાં જ્યારે વધારે પડતી રસગૃદ્ધિ જોવા મળે છે, વ્યસનોનો દાનવ જોવા મળે છે, દુરાચારોની
| ૨૨૨
આ શોન્તસુધારસઃ ભાગ ૨ |