SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ રહેતા હતા. અતિ રૂપવાન હતા. કોઈ વાર તે પંદર દિવસના ઉપવાસ કરતા, તો કોઈ વાર મહિનાના ઉપવાસ કરતા. જંગલના માર્ગથી જે કોઈ સાથે નીકળે તો પારણાના દિવસે એમને કોફલાથી ભિક્ષા મળી જતી હતી. જંગલનાં પશઓ એમનાં મિત્ર બની ગયાં હતાં ! હિંસક પશુ પણ બલભદ્ર મુનિની પાસે પોતાનો હિંસક ભાવ ભૂલી જતાં હતાં અને તેમના ચરણોમાં બેસતાં હતાં. કોઈને - શત્રુને મિત્ર બનાવવાનો અસાધારણ ઉપાય છે - તપ. એટલા માટે તપનું આચરણ કરતા રહો. ગ્રંથકાર ત્રીજી વાત કરે છે - “તપ જિનાગમોમાં પરમ રહસ્યભૂત છે.” તપ - જિનાગમોનું પરમ રહસ્ય : - જિનેશ્વર તીર્થકર ભગવાનનાં વચનોને જિનાગમ' કહે છે. જિનેશ્વર અર્થ કહે છે. ગણધર સૂત્રની રચના કરે છે. સૂત્રની રચનાનું પ્રયોજન મોક્ષમાર્ગ પ્રદર્શિત કરવાનું હોય છે. જિનાગમોના સ્વાધ્યાયથી કર્મોની નિર્જરા થાય છે. આ દ્રષ્ટિથી તપ જિનાગમોનું પરમ રહસ્ય છે. તપથીય કર્મોની નિર્જરા થાય છે. જિનાગમોનું અને તપનું એક જ લક્ષ્ય છે - કર્મનિર્જરા. એટલા માટે નિર્મળ ચિત્તથી તપની નિર્મળ આરાધના થાય છે. આવું તપ બાહ્ય અને આત્યંતર બે પ્રકારનું છે. 'બાહ્ય તપ : ' જેતપ બીજાની નજરે પડી શકે તેને બાહ્ય તપ કહે છે અને જેતપને મનુષ્ય જોઈ ન શકે તે આત્યંતર તપ કહેવાય છે. પહેલાં બાહ્ય તપના ૬ પ્રકારોનું વિવેચન કરીશું. વિવેચનની પૂર્વે ભાવનાત્મક રૂપથી છ પ્રકારો બતાવું છું. ૧. અનશન હું ઉપવાસ કરીશ, એક દિવસનો, બે દિવસના, ત્રણ દિવસના.... આઠ દિવસના મહિનાના ઉપવાસ કરીશ. આખો વષકાળ ઉપવાસમાં પસાર કરીશ. સમતાભાવમાં નિમગ્ન બનીશ. મૌન રહીને સમય નિર્ગમન કરીશ. ૨. ઊણોદરીઃ જ્યારે ઉપવાસ નહીં કરું ત્યારે અલ્પ ભોજન કરીશ. પેટ ભરીને નહીં - ખાઉં. શરીર ધમરાધનામાં અને આવશ્યક કર્તવ્યોમાં સહાયક થઈ શકે એટલું જ ભોજન કરીશ. ૩. વૃત્તિક્ષેપ ઃ જે ભોજન કરીશ તેમાં પરિમિત વસ્તુઓ જ લઈશ. જો બે જ વસ્તુઓથી ચાલી તો ત્રીજી વસ્તુ નહીં લઉં. ભલેને ખાવાપીવાની ગમે તેટલી નિર્જરા ભાવના . ૨૨૧ |
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy