________________
ભીંજાઈ ગયું. મુનિવરે તો વિચાર કર્યોમેં જે કુકમ - હત્યાઓ કરી હતી એનું ફળ મારે સમભાવથી ભોગવવું પડશે. લોકો દુષ્ટ નથી. હું દુષ્ટ છું. આમ મુનિ ઘોર તપશ્ચર્યા કરી રહ્યા છે. પ્રહાર સહન કરે છે અને ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પહોંચી જાય છે. કેવળજ્ઞાની બન્યા અને મોક્ષ સુધી પહોંચી ગયા.
ઘોર ઉપસર્ગોના સમયે સમતા રાખવી, તપને અખંડ રાખવું, સામાન્ય ઘટના નથી. અપૂર્વ-અભુત ઘટના છે. તપથી વાંચ્છિત ફળની પ્રાપ્તિ:
હવે આપણે ૩જા શ્લોક પર વિવેચન કરીશું. એમાં પહેલી વાત એ છે કે “તપથી દૂર રહેલાં વાંચ્છિત ફળોની પ્રાપ્તિ થાય છે.” તમે જંબૂકુમારના જીવનચરિત્રની વાત સાંભળી હશે તો ખબર હશે કે જંબૂકુમાર પૂર્વજીવનમાં શિવકુમાર નામના રાજકુમાર હતા. યુવાવસ્થામાં એ વિરક્ત બન્યા હતા. ચારિત્ર લેવાની તીવ્ર ભાવના હતી, પરંતુ રાજારાણી રજા આપતાં ન હતાં. આયંબિલ કર્યા અને ઘરમાં રહીને જ ભાવસાધુતાનું પાલન કર્યું. જંબૂસ્વામીના જન્મમાં ૧૬ વર્ષની ઉંમરે તેમને ચારિત્ર મળ્યું. વાંચ્છિત ફળની પ્રાપ્તિ થઈ.
બીજું ઉદાહરણ સંભળાવું છું- કૃષ્ણ મહારાજાનું. જરાસંધ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. એ સમયે જરાસંઘે શ્રીકૃષ્ણની સેના ઉપર જરાવિદ્યાનો પ્રયોગ કર્યો હતો. કૃષ્ણની સેના મૂચ્છિત થઈ ગઈ હતી. શ્રીકૃષ્ણ ચિંતાતુર બન્યા. એ સમયે નેમિકુમાર શ્રીકૃષ્ણના રથના સારથિ હતા. તેમણે શ્રીકૃષ્ણને કહ્યું: ‘ચિંતા ન કરો, અમનું તપ કરો. દેવી પદ્માવતીનું ધ્યાન ધરો. દેવી પ્રકટ થશે. ત્યારે તેમની પાસે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા માગજો. દેવી પ્રતિમા લાવી આપશે. એ પ્રતિમા ઉપર જલાભિષેક કરજો અને એ પાણી સેના ઉપર છાંટો. ‘જરાવિદ્યા' ભાગી જશે અને આપણો જરાસંધ ઉપર વિજય થશે. ત્રણ દિવસ તમે તપ અને ધ્યાનમાં રહેશો તો સેનાની રક્ષા હું કરીશ. , શ્રીકૃષ્ણ અઠ્ઠમ તપ કર્યું. દેવી પદ્માવતી પ્રસન્ન થયાં. શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જે પદ્માવતીની પાસે હતી તે લાવીને કૃષ્ણને આપી દીધી. શ્રીકૃષ્ણ જલાભિષેક કર્યો અને તે જળ સેના ઉપર છાંટ્યું. સેના જાગૃત થઈ ગઈ, યુદ્ધ થયું, શ્રીકૃષ્ણનો વિજય થયો. તપથી મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
બીજી વાત ગ્રંથકાર કહે છે રિપુષિ વૃતિ વયમ્ I શત્રુ મિત્ર બની જાય છે. તપથી શત્રુ મિત્ર બને છે :
આવિષયમાં બલભદ્ર મુનિનું દ્રષ્ટાંત આદર્શરૂપ ગણાય છે. તે પ્રાયઃ જંગલમાં જ | ૨૨૦
શાન્તસુધારસ: ભાગ ૨