________________
નીકળીને ભાગી ગયો.
જેવો યક્ષ શરીરમાંથી નીકળ્યો, તેવો જ અર્જુનમાળી જમીન ઉપર ઢળી પડ્યો. થોડી ક્ષણો પછી એની મૂચ્છ દૂર થઈ. તે ઊભો થયો. તેણે સુદર્શનને પૂછ્યું તમે
ક્યાં જઈ રહ્યા છો ?” શેઠે કહ્યું: ‘ગુણશીલ ચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યા છે, હું એમને વંદન કરવા જાઉં છું.અર્જુનમાળીએ કહ્યું “શું હું પણ તમારી સાથે આવી શકું?” શેઠે પ્રત્યુત્તર આપ્યો, અવશ્ય, પ્રભુ તો સર્વ જીવો પર કરુણાવંત છે.' અર્જુનમાળી શેઠની સાથે ભગવાનની પાસે ગયો.
ભગવાનની દેશના સાંભળીને અર્જુનમાળી વિરક્ત બન્યો અને ભગવાન પાસે દિક્ષા લીધી-ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો. એનું મન કરેલાં પાપો માટે બળી રહ્યું હતું. ભગવાનની આજ્ઞા લઈને અર્જુન મુનિ રાજગૃહીના પ્રવેશદ્વાર પાસે જ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહેવા લાગ્યા. કવિએ કહ્યું છે કે -
કિધારે કર્મ ખપાવવા કાજ રાજગૃહી પાસે રહ્યા અષિરાજ, યક્ષરૂપે હણીયા જે જીવ, તેહનું વેર વાળી મારે રે સદેવ ભવિ સાંભલો. થપાટ, પાટું ને મુષ્ટિપ્રહાર, નિવિડ જેડા ને પથ્થર પ્રહાર ઝાપટ કોરડા નહીં પાર હણે લાઠી કેઈ નર હજર... ભવિ સાંભલો. શુભ ભાવે સાધુ સહે સદેવ તેરા કીધા તે ભોગવ જીવ, અભ્યાસ માણી શુભ ધ્યાન
કેવલ લહી પામ્યા શિવસ્થાન. ભવિ સાંભલો. અર્જુન માલીને લોકો મારે છે :
આખા નગરમાં વાત ફેલાઈ ગઈ છે કે “પેલો હત્યારો અર્જુનમાળી સાધુ બનવાનો ઢોંગ રચીને નગરની બહાર ઊભો છે. ધીમે ધીમે લોકો એ તરફ જવા લાગ્યા. અર્જુન માળીએ કોઈના ભાઈને માર્યો હતો, તો કોઈના પિતાને, કોઈના પુત્રને તો વળી કોઈની માતા યા પત્નીને માયાં હતાં. આમ આખું નગર એનું શત્રુ હતું. સૌના મનમાં વેરની આગ સળગી રહી હતી. એટલા માટે લોકોએ અર્જુન માળીને મારવાની શરૂઆત કરી. લોકોમાંથી કોઈ લાકડીથી મારે છે. તો કોઈ મુષ્ટિપ્રહાર કરે છે... આમ વિવિધ રીતે મુનિને લોકો મારે છે. શરીર લોહીથી. નિર્જરા ભાવના
(૨૧૯