________________
પત્નીઓ સાથે ભગવાનનો ઉપદેશ સાંભળવા ગયો હતો. ભગવંતનો ઉપદેશ સાંભળતાં જ તે વૈરાગી બની ગયો હતો. કવિએ કહ્યું છે -
પરિવાર શું પાળો ધનો આવ્યો તે વંદન એક મનો..
સુણી દેશના અમીય સમાણી, વૈરાગી થયો ગુણ ખાણી. પ્રભુની અમૃત સમાન દેશના સાંભળીને એ દ્રઢ વૈરાગી બની ગયો. ઘેર આવીને તેણે પોતાની માતાની ચારિત્રધર્મ સ્વીકાર કરવા માટે રજા માગી. પુત્રની વાત સાંભળીને જ માતા ભદ્રા બેહોશ થઈ ગઈ. બેહોશી દૂર થતાં તે રડવા લાગી. કરુણા રુદન કરવા લાગી. જ્યારે એની ૩ર પત્નીઓને વાતની ખબર પડી, તો તે પણ કરુણ કલ્પાંત કરવા લાગી, ત્યારે ધન્યકુમારે માતા-પત્નીઓને વિરક્ત ભાવે કહ્યું -
કહે ધનો કામિની પ્રત્યે કાજ ન આવે કોય રે, પરભવ જાતાં જીવને, મેં વાત વિચારી જય રે.. માતા-પિતા બાંધવ સહુ પુત્ર કલત્ર પરિવાર રે,
સ્વારથના સહુ કો સગા, મલિયા છે સંસાર રે. ધન્યકુમારે કહ્યું પરભવ - પરલોક જતી વખતે કોઈ પણ સ્વજન સાથે નથી આવતું, કામ નથી આવતું. માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની આદિ પરિવારમાં સ્વાર્થની સગાઈનાં છે, એટલા માટે હું ભગવાન મહાવીરનાં ચરણોમાં મારું જીવન સમર્પિત કરીશ. મને પ્રભુચરણોમાં સુખ મળશે. કવિએ કહ્યું છે કે -
“સુખ પામીશ સંયમ થકી અરિહંતની આણા વહત રે..” જ્યારે ધન્યકુમારે માતાને અને પોતાની ૩૨ પત્નીઓને પોતાનો વિરક્ત ભાવ વૃઢતાથી સંભળાવ્યો તો સમજદાર માતા અને પત્નીઓ સમજી ગઈ.
ધન્યકુમારે ભગવાન મહાવીરના હસ્તે ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો. એ દિવસે એણે ભગવાન પાસે તપશ્ચયની પ્રતિજ્ઞા લીધી.
પંચ મહાવ્રત ઉચરી રે કહે ધનો અણગાર, આજ થકી કહ્યું હવે રે, સુણો પ્રભુ જગદાધાર, છઠ્ઠ તપ આંબિલ પારણે રે, કરવો યાવજીવ,
ઈણ માંહે ઓછો નહીં રે, એ તપ કરવો સદેવ. તમે લોકો વાત સમજ્યા? દીક્ષા ગ્રહણ કરતાં જ ધન્યભાગી મુનિવરે પ્રતિજ્ઞા કરી - “જીવનપર્યત છઠ્ઠ તપ - બે ઉપવાસ કરીશ અને પારણાં આયંબિલથી કરીશ!” આયંબિલ પણ કેવું? એ સમયે આજના જેવું આયંબિલમાં લોકો ખાતા ન હતા. કેવો શુષ્ક અને નીરસ આહાર કરતા હતા એ મુનિ? કવિએ કહ્યું છે -
૨૧૨
શાન્તસુધારસઃ ભાગ ૨)