SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ જાણો છો? ‘પ્રશમરતિમાં કહ્યું છે - ન્દ્રિય-પાથ-વ-પર-સપવિથળ | સર્વવિરતિમય શ્રમણ જીવન અંગીકાર કર્યા પછી પણ ઇન્દ્રિયોની સ્વચ્છંદતા, કષાયોની પ્રબળતા, ગારવોની લોલુપતા અને પરીષહ સહન કરવાની કાયરતા એટલી તો વૃઢ થયેલી છે કે એને કારણે વૈરાગ્યની ભાવના સ્થિર થતી નથી. દ્રૌપદી જે પૂર્વ જીવનમાં સાધ્વી હતી, કાયોત્સર્ગ ધ્યાનમાં હતી, પરંતુ જેવા મધુર પ્રિયઆલાપ સાંભળવામાં આવ્યા, તો શ્રવણેન્દ્રિય ચંચળ થઈ ગઈ, ઈન્દ્રિય પરવશતા આવી ગઈ અને મન એમાં વહેવા લાગ્યું. નવિચારવાનું વિચાર્યું, અનર્થ થઈ ગયો, જો કેદ્રવ્યદ્રષ્ટિથી મહાવ્રત અખંડ રહ્યા...પરંતુમન અબ્રહ્મપ્રત્યે આકર્ષિત થઈગયું.છતાં પણ દ્રૌપદીના જીવનમાં એણે મહાસતીત્વ બનાવી રાખ્યું, એટલામાટેતેભવભ્રમણથી બચી ગઈ. તપમાત્રનિર્જરાની ભાવનાથી કરવાનું છે, આત્મશુદ્ધિ માટે કરવાનું છે. કોઈ પણ ભૌતિક આશંસાયાઆકાંક્ષાથી કરવાનું નથી.' કર્મનાશ અને મોક્ષપ્રાપ્તિ માટે તપઃ આ વાત એક ગુજરાતી કાવ્ય (સઝાય)માં મહાકવિ ઉદયરત્નજી મુનિવરે કહી છે, સાંભળો - કીધાં કર્મ નિકંદવા રે, લેવા મુક્તિનું દાન, હત્યા પાતિક છૂટવા રે, નહીં કોઈ તપ સમાન. ભવિકજન! તપ કરજો મન શુદ્ધ. ૧ ઉત્તમ તપના યોગથી રે. સેવે સુરનર પાય લબ્ધિ અઠ્ઠાવીસ ઉપજે રે. મનવાંચ્છિત ફલ થાય. ભવિક ર તીર્થંકરપદ પામીએ રે. નાસે સઘળા રોગ રૂપલીલા સુખ સાહેબી રે. લહિયે તપ સંયોગ.... ભવિક. ૩ તે શું છે સંસારમાં રે, તપથી ન હોવે જેહ જે જે મનમાં કામીએ રે. સફળ હોવે સહી તેહ. ભવિક. ૪ અષ્ટકમના ઓઘને રે, તપ ટાળે તત્કાળ, અવસર લહીને તેહનો રે, ખપ કરજો ઉજમાળ, ભવિક. ૫ બાહ્ય-અભ્યતર જે કહ્યાં રે, તપના બાર પ્રકાર હોજો તેહની ચાલમાં રે જિમ ધનો અણગાર... ભવિક, ફ "ઉદયરત્ન' કહે તપ થકી રે, વાઘે સુજન સમૂર સ્વર્ગ હુએ ઘરઆંગણું રે. દુર્ગતિ જાવે દૂર... ભવિક ૭ ૨૧૦ શાન્ત સુધારસ : ભાગ ૨
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy