________________
આત્માનો સ્વભાવ જ આવો હશે? ના, આત્માનો સ્વભાવ તો અનંત સુખ છે, શાશ્વતું સુખ છે. તો પછી આવું કેમ ?
શાસ્ત્રોનું કહેવું છે કે આત્મા ઉપર કર્મોનું આવરણ છવાયેલું છે. એટલે જીવને જે બાહ્યરૂપનાં દર્શન થયા છે તે કર્મજન્યરૂપ છે. આત્માના આ રૂપ-સ્વરૂપનો નિર્ણય કેવળજ્ઞાની વીતરાગ પરમાત્માએ કર્યો હોય છે. પરમ સુખ અને અક્ષય શાંતિ માટે આત્માને કર્મબંધનોથી મુક્ત કરવો પડે છે. કર્મબંધ તોડવાનું અપૂર્વ - એકમેવ સાધન છે - તપ. કહેવામાં આવ્યું છે - વર્મા તપના તપઃ | કમને જે તપાવે, નષ્ટ કરે, તે તપ. તપાવવાનો અર્થ છે નાશ કરવો. તપસ્વીનું લક્ષ્ય હંમેશાં કર્મક્ષય જ હોવું જોઈએ. તપનો આટલો પરિચય કરાવીને હવે આપણે આગળ વધીશું.
किमुच्यते सत्तपसः प्रभावः कठोरकर्मार्जित किल्बिषोऽपि । दृढप्रहारीव निहत्य पापं यतोऽपवर्ग लभतेऽचिरेण ॥ ५ ॥ સમીચીન તપના પ્રભાવ અંગે કહેવું જ શું? વૃઢપ્રહારી જેવા મહાપાપી - હત્યારાના પાપ પણ અલ્પ સમયમાં નષ્ટ થઈને એને મોક્ષમાં લઈ જાય છે, આ તપનો પ્રભાવ છે. તપનો પ્રભાવ:
તપના પ્રભાવનું વર્ણન કરતાં ગ્રંથકાર કહે છે - તપથી મોક્ષપ્રાપ્તિ થાય છે. નિષ્પાપ આત્મા તો તપથી મોક્ષપ્રાપ્તિ કરે જ છે, પરંતુ મહાપાપી - ઘોર હિંસા કરનારો જીવાત્મા પણ તપથી મોક્ષપ્રાપ્તિ કરી લે છે. આ વાત “શ્રી નવપદપૂજામાં કહેવામાં આવી છે -
દૃઢપ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘોર
તો પણ તપના પ્રભાવથી. કાઢ્યાં કર્મ કઠોર દ્રઢપ્રહારીની કથા તમેં સાંભળી હશે. ગ્રંથકારના કહેવાનું તાત્પર્ય એ છે કે મહાપાપી જીવ પણ તપને સહારે સર્વ કર્મોનો નાશ કરી પરમ શાન્તિ, મુક્તિ પામી શકે છે - સદ્ગતિ પામી શકે છે. જોઈએ માત્ર સમતાયુક્ત તપ! વૈરાગ્યથી પરિપૂર્ણ અને ઘેર્યથી ભરપૂર ! આ વિષયમાં આજે હું તમને સનત્કુમાર ચક્રવર્તીની ઘોર તપશ્ચર્યાની બાબતમાં વાત કરીશ. સનત્કુમાર પંદરમા તીર્થંકર ધર્મનાથના શાસનમાં થયા હતા. ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં એમની વાત વાંચવા મળે છે. સનત્કુમાર ચક્રવર્તી:
એક સમયની વાત છે. પહેલાં સુધમદેવલોકનો ઈન્દ્ર રાજસભામાં બેઠો હતો. નાટક ચાલતું હતું એ સમયે બીજા ઈશાન દેવલોકમાંથી ‘સંગમ' નામનો દેવ આવે નિર્જરા ભાવના E
૧૯૯]