SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવરમણીને મળવા માટે તપસ્વજનોએ એક સુંદર ઉપાય શોધી કાઢ્યો છે તપશ્ચર્યાનો. દેહદમનનો અને વૃત્તિઓના શમનનો. તપસ્વજનો પાસે જ્ઞાનવૃષ્ટિ હોવી જોઈએ. તેઓ જ્ઞાનવૃષ્ટિથી સાધ્યની નિકટતા પ્રાપ્ત કરી લે છે. જેમ જેમ સાધ્યનિકટ હશે તેમ તેમ માધુર્યની વૃદ્ધિ થશે અને તેઓ અપૂર્વ આનંદનો અનુભવ કરે છે. વૈરાગ્યરતિ” ગ્રંથમાં કહેવામાં આવ્યું છે - रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीवास्वपि योगिनाम् स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि न किं सुधापानगुणाश्चकोराः ॥ યોગીઓને સમાધિમાં રતિ-પ્રીતિ હોવાથી અત્યંત તીવ્ર ક્રિયામાં પણ અરતિઅપ્રીતિ કદી થતી નથી. ચકોરપક્ષી સુધાપાન કરવાનું ઈચ્છુક હોવા છતાં અગ્નિકણ ભક્ષણ કરતાં તે વ્યાકુળતારહિત નથી થતું?” મધુરતા વગર આનંદ નહીં અને આનંદ વગરની કઠોર ધમક્રિયા દીર્ઘકાળ સુધી ટકતી નથી. અહીં એ સ્પષ્ટ કરું છું કે તપસ્વીએ જ્ઞાની થવું નિતાન્ત આવશ્યક છે. જો તપસ્વી અજ્ઞાની અને ગમાર હશે, તો તેને કઠોર ધમક્રિયાઓમાં અપ્રીતિ થશે, અરતિ થશે. ભલેને તે ધર્મક્રિયા કરતો હોય, પરંતુ તે મધુરતાનો અનુભવ નહીં કરે. જ્ઞાન અને સાધ્ય -મોક્ષના સુખની કલ્પના આપે છે. એ કલ્પના અને મધુરતા પ્રદાન કરે છે અને એ એને આનંદથી ભરી દે છે. એ આનંદ એની કઠોર તપશ્ચર્યાને જીવન આપે છે. જ્ઞાનયુક્ત તપસ્વીની જીવનદશાનું આ અપૂર્વ દર્શન છે. આપણે એવા તપસ્વી બનવાનો આદર્શ રાખીએ અને એવા તપસ્વીને સદેવ નમસ્કાર કરીએ. कर्मणां तपनात् तपः : તપ શબ્દથી કોણ અજાણ છે? તપ કરનાર તો તપથી પરિચિત છે જ, પરંતુ જે તપ નથી કરતા તેવા લોકો પણ તપથી પરિચિત છે. આમ તો સમાજમાં તપ’ શબ્દ ‘બાહ્યતપ'ના રૂપમાં જ પ્રસિદ્ધ છે. “તપશ્ચર્યા શા માટે કરવી? તપ કેવું કરવું?તપ ક્યાં સુધી કરવું?” વગેરે ઘણી બાબતો છે કે જેની ઉપર વિચારવાનું બંધ થઈ ગયું છે. આ સંસારમાં સુખી લોકોની જેમ દુઃખી લોકો પણ મળી આવે છે. એમાં પણ સુખી ઓછા અને દુખી વધારે હોય છે. વાસ્તવિકતા એ પણ છે કે સુખી સદાને માટે સખી હોતા નથી, એ રીતે દુઃખી સદૈવ દુઃખી હોતા નથી. આ જ તો યક્ષપ્રશ્ન છે. તેમને થતું હશે કે આવું કેમ? શું ૧૯૮ી સુધારસઃ ભાગ ૨)
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy