________________
જાય એને માટે સાવધાની રાખવી જરૂરી છે. તપશ્ચર્યા દુઃખરૂપ નથી:
બૌદ્ધ દર્શન કહે છે બાપ શા માટે કરવું જોઈએ? પશુઓની જેમ દુઃખ સહન કરવાથી ભલા શું ફાયદો? આ તો ‘અશાતાવેદનીય કર્મના ઉદયસ્વરૂપ છે.” - આનો જવાબ યાકિની સૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ આપ્યો છે -
“विशिष्ट ज्ञान-संवेग शमसारमतस्तपः ।
क्षयोपशमिकं ज्ञेयमव्याबाधसुखात्मकम् ॥ “વિશિષ્ટ જ્ઞાન-સંવેગ-ઉપશમગર્ભિત તપ ક્ષયોપથમિક અને અવ્યાબાધ સુખરૂપ છે. અર્થાત્ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી સંપન પરિણતિસ્વરૂપ
છે.”
તપથી આંતરિક આનંદની ધારા અખંડિત રહે છે. એનો નાશ થતો નથી. એટલા માટે તમને કષ્ટપ્રદ કહેવું ન જોઈએ. પશુપીડા સાથે માનવતાની તુલના કેટલે અંશે યોગ્ય છે? તપની આરાધના સ્વેચ્છાએ કરવાની છે. કોઈના ભયથી, બંધનથી યા તો પરાધીનતાથી નહીં. સ્વેચ્છાથી કષ્ટ સહન કરવામાં અંતરંગ આનંદ છલકાય છે. આ આનંદના પ્રવાહને દ્રષ્ટિગોચર ન કરનારો માત્ર બૌદ્ધધર્મી જૈન તપધમને દુઃખ રૂપ માને છે. તપસ્વીના દેહને નિહાળીને વિચાર્યું કે “બિચારો કેટલો દુઃખી છે? ન ખાવું, ન પીવું, સાચે જ શરીર સૂકાઈને કેવું કાંટા જેવું થઈ ગયું છે?”
ઘોર તપશ્ચર્યાના અનન્ય અને અદ્ભુત આત્મબળથી આરાધના કરનાર મહાપુરુષના આંતરિક આનંદનું યથોચિત મૂલ્યાંકન કરવા માટે તેનો ઘનિષ્ટ પરિચય હોવો જરૂરી છે.
મોગલ બાદશાહ અકબરના સમયમાં દિલ્હીમાં ચંપા નામની તપસ્વિની શ્રાવિકા થઈ ગઈ, તેણે છ માસના ઉપવાસ ક્યાં હતા !! સમતાસહિત તપ કર્યું હતું, એને કારણે અકબર હીરસૂરીશ્વરના સંપર્કમાં આવ્યો હતો અને તેના હૃદયમાં દયાભાવ ઉત્પન્ન થયો હતો. અકબરે જાતે જ ચંપાશ્રાવિકાનો પરિચય કર્યો હતો. તેની સમતા, સહનશીલતા અને પ્રસન્નતા જોઈને તે પ્રભાવિત થયો હતો. તપસ્વિની ચંપાના આંતરિક આનંદને નજીકથી જોયો અને સમજ્યો, એ બાદશાહનું હૃદય-પરિવર્તન ત્યારથી શરૂ થયું હતું. . તપસ્વી જ્ઞાની હોવો જોઈએ:
તપસ્વીનું એકમએવ સાધ્ય હોવું જોઈએ મોક્ષ-મુક્તિ. શિવરમણીના મધુર મિલનની કલ્પના માત્રથી માધુર્ય વરસે છે. આ માધુર્ય તપસ્વીને આનંદથી ભરી દે [ નિર્જરા ભાવના
૧૭.