________________
દુર્ગાન :
દુષ્યનિના કેટલાય પ્રકારો છે. દુર્બાન કરનારને એ કલ્પના પણ હોતી નથી કે તે દુર્બાન કરી રહ્યો છે. દુધ્ધનનો અર્થ છે - દુષ્ટ વિચાર, અનુપયુક્ત વિચાર, તપસ્વીએ કેવા વિચારો ન કરવા જોઈએ એ પણ શું કહેવાની વાત છે? “જો મેં તપ કર્યું ન હોત તો સારું થાત - મારા તપની કોઈ કદર કરતું નથી, તપ ક્યારે પૂર્ણ થશે?” આવા વિચારો દુર્બાન કહેવાય છે.
જો તપશ્ચર્યા કરતી વખતે શારીરિક અશક્તિ-કમજોરી આવી જાય તે વખતે કોઈ સેવા-ભક્તિ ન કરે, તો દુધ્ધન થતાં વાર લાગતી નથી, પરંતુ આમ થવું ન જોઈએ. સદાય આર્તધ્યાનથી બચવું જોઈએ. મન-વચન-કાયાના યોગો :
યોગોને કોઈ પણ પ્રકારની હાનિ ન થવી જોઈએ. દુષ્મનથી મનની, કષાયોથી. વચનની અને પ્રમાદથી કાયાની હાનિ થાય છે. પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, ગુરુસેવા, ગ્લાનિસેવા, શાસન પ્રભાવનાદિ સાધુજીવનના યોગો છે. આમાંથી કોઈને ય કોઈ પણ પ્રકારની હાનિ ન થવી જોઈએ. એવું તપ ભૂલમાં ય ન કરવું જોઈએ કે જેનાથી સાધના-આરાધનામાં કોઈ પણ પ્રકારનું વિબ આવે. પ્રાતઃકાલીન પ્રતિક્રમણના સમયે જ્યારે સાધુએ તપચિંતનનો કાયોત્સર્ગ કરવાનો હોય છે ત્યારે પણ નિરંતર એ ચિંતન કરવું જોઈએ કેઃ “આજનાં મારાં વિશિષ્ટ કર્તવ્યોમાં ક્યાંય તપ બાધક તો નહીં થાય ને? ‘આજે મારે ઉપવાસ છે, અઠ્ઠમ છે એટલા માટે આજે મારાથી સ્વાધ્યાય નહીં થાય, હું ગ્લાનસેવા- ગુરુસેવા આદિ નહીં કરી શકું આવું તપ કોઈ કામનું નથી.” ઈન્દ્રિયોની હાનિ :
ત્રીજી સાવધાની એ છે કે ઈન્દ્રિયોની શક્તિનો હ્રાસ થવો ન જોઈએ. જે ઇન્દ્રિયોના માધ્યમથી સંયમની આરાધના કરવી છે, એમનો નાશ થઈ જતાં સંયમની આરાધના ખંડિત થઈ જશે. આંખની જ્યોતિ ચાલી જાય તો? કાને સંભળાતું બંધ થઈ જાય તો? શરીરે લકવો પડી જાય તો, શું થશે? સાધુજીવન તો સ્વાશ્રયી જીવન છે. પોતાનાં કામ પોતે જ કરવાનાં હોય છે. પાદવિહાર કરવાનો હોય છે. ગોચરીથી જીવનનિર્વાહ કરવાનો હોય છે. જો ઇન્દ્રિયોને હાનિ પહોંચી જાય તો નિઃસંદેહ સાધુના આચારોને પણ ક્ષતિ પહોંચી જશે.
કર્તવ્યપાલન અને ઇન્દ્રિય સુરક્ષાનું લક્ષ્ય તપસ્વીએ ચૂકી જવાનું નથી. દુધ્યાનથી મનને બચાવવું જોઈએ. સાથે જ સાવધાનીના નામે ક્યાંય પ્રમાદનું પોષણ ન થઈ
દાદા
૧૯૬
શાન્ત સુધારસઃ ભાગ ૨ |