SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ આવતા નથી. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન થાય છે. તપસ્વી માટે બ્રહ્મચર્યના પાલનમાં સુગમતા આવે છે. મૈથુનત્યાગ તપસ્વી માટે સહજ થઈ જાય છે. તપસ્વીનું એક જ લક્ષ્ય હોય છે - “મારે બ્રહ્મચર્યપાલનમાં નિર્મળતા, પવિત્રતા અને દ્રઢતા લાવવાં છે.”જિનપૂજામાં નિરંતર પ્રગતિ સધાતી જાય છે. જિનેશ્વર દેવ પ્રત્યે હૃદયમાં શ્રદ્ધાભાવ અને ભક્તિની અનોખી વૃદ્ધિ થતી રહે છે! શરણાગતિનો ભાવ દ્રઢતર થતો જાય છે. જિનેશ્વર દેવની દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં ઉત્સાહનાં તરંગો છલકાતાં રહે છે. કષાયોનો ક્ષયોપશમ થતો રહે છે. ક્રોધ, માન, માયા અને લોભમાં ક્ષીણતા આવે છે. કષાયોને ઉદયમાં આવવા દેવાના નથી, સાથે સાથે ઉદિત કષાયોને સફળ થવા દેવાના નથી. “તપસ્વી માટે કષાય શોભાજનક નથી.” એ મુદ્રાલેખ બનાવવો જોઈએ, કારણ કે કષાયમાં ખોવાયેલો તપસ્વી તપશ્ચર્યાની નિંદામાં નિમિત્ત બની જાય છે. એના કારણે તપશ્ચર્યાનું મૂલ્ય ઘટી જાય છે. એટલા માટે કષાયોનો ક્ષયોપશમ, તપશ્ચર્યાનો મૂળ ઉદ્દેશ થવો જોઈએ. ચોથી વાત છે - જિનાજ્ઞાનું પાલન. સાનુબંધ જિનાજ્ઞાનું પાલન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પૂર્વે “આને માટે જિનાજ્ઞા શું છે? ક્યાંય જિનાજ્ઞાનો ભંગ તો નથી થતો ને?” આવા વિચારોની જાગૃતિ આવશ્યક છે. - જિનાજ્ઞાની આરાધના આત્મકલ્યાણાર્થે હોય છે. જ્યારે એની વિરાધના સંસાર ભ્રમણ માટે હોય છે. જિનાજ્ઞાની સાપેક્ષતા માટે તપસ્વી સદેવ જાગૃતિ-સાવધાન રહે. જો આ ચારે બાબતોની સાવધાની રાખીને તપશ્ચર્યા કરવામાં આવે તો તપનું કેટલું ઊંચું મૂલ્ય હોય ? ધ્યેયવિહીન દિશાશૂન્ય બનીને માત્ર પરલોકનાં ભૌતિક સુખો માટે શરીરને તપાવતા રહેવામાં કોઈ વિશેષ અર્થ નિષ્પન થશે નહીં. એટલા માટે આ ચારેય બાબતો હોવી અતિ આવશ્યક છે - બ્રહ્મચર્યનું પાલન, જિનેશ્વર દેવનું પૂજન, કષાયોનો ક્ષય અને જિનાજ્ઞાનું પાતંત્ર્ય. એ પણ એવું અલૌકિક પારતંત્ર જોઈએ કે ભવોભવ જિનચરણનું શરણ પ્રાપ્ત થાય અને ભવભ્રમણની પરંપરા તૂટી જાય, આ રીતે કરેલી તપશ્ચર્યા નિકાચિત કર્મોનો ક્ષય કરે છે. તપ કરવામાં સાવધાની : તપ કરવા માટે જેવી વૃઢતા જોઈએ, ક્ષમતા જોઈએ એ રીતે થોડી સાવધાની પણ હોવી જોઈએ. | દુર્ગાન થવું ન જોઈએ. | મન-વચન-કાયાના યોગોને હાનિ થવી ન જોઈએઅને . ઈન્દ્રિયોને કોઈ પણ પ્રકારે નુકસાન ન થવું જોઈએ. [ નિર્જરા ભાવના ૧૯૫]
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy