________________
કર્મ નિકાચિત પણ ક્ષય જાવે ક્ષમા સહિત જે કરતા. તે તપ નમિયે જેહ દીપાવે
જિનશાસન ઉજમતા... પંડિતશ્રી પદ્મવિજયજીએ પણ તપાદપૂજામાં કહ્યું છે -
જે તપ કર્મ નિકાચિત તપવે ક્ષમા સહિત મુનિરાયા.
તપસ્યા કરતાં હો, ડંકા જોર બજાયા હો. તપ કેવું હોય? ‘જ્ઞાનસારમાં કહેવામાં આવ્યું છે - यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हतिः । । सानुबन्धाः जिनाज्ञा च तत्तपः शद्धमिष्यते ॥
જ્યાં બ્રહ્મચર્ય હોય, જિનપૂજા હોય, કષાયોનો ક્ષય હોય અને અનુબંધ સહિત જિનાજ્ઞા પ્રવર્તિત હોય એવું તપ શુદ્ધ માનવામાં આવે છે.”
સમજ્યા - વિચાર્યા વગર તપ કરવાથી કામ થતું નથી કે ન તો કોઈ લાભ થાય છે. એટલે કે તેનાં પરિણામ જાણવાં જોઈએ. એ પરિણામ આ જીવનમાં આવવું જોઈએ. માત્ર પરલોકમાં રમણીય સુખોની કલ્પનાસૃષ્ટિમાં ફસાઈને તપશ્ચર્યા કરવાનો કોઈ લાભ નથી. જેમ જેમ તમે તપશ્ચર્યા કરતા જાઓ તેમ તેમ એનાં ચાર પરિણામો આવવાં જોઈએ -
૧. બ્રહ્મચર્યમાં વૃઢતા. ૨. જિનપૂજામાં ભાવવૃદ્ધિ. ૩. કષાયોની અલ્પતા. ૪. સાનુબંધ જિનાજ્ઞાનું પાલન
તપશ્ચયનો પ્રારંભ કરતી વખતે આ ચાર આદર્શ દ્રષ્ટિ સમક્ષ રાખવા જોઈએ. જેવી રીતે તપશ્ચર્યા કરતા જઈએ એમ આ ચારે બાબતોમાં પ્રગતિ થતી જાય છે કે નહીં એનું નિરીક્ષણ કરતા રહો. આ જીવનમાં આ ચારે બાબતોમાં જ આપણી વિશિષ્ટ પ્રગતિ થવી જોઈએ.
જ્ઞાનમૂલક તપશ્ચર્યા બ્રહ્મચર્યપાલનમાં દ્રઢતા પ્રદાન કરે છે. એનાથી અબ્રહ્મમૈથુનની વાસના મંદ પડી જાય છે અને દિમાગમાં ભૂલમાં ય કામભોગના વિચારો
[૧૯૪
છે
શાન્તસુધારસઃ ભાગ ૨)