________________
આત્મચિંતનની આવી અણમોલ વૃષ્ટિ ખોલવામાં આવી છે કે જેમાં આત્મા આત્માના જ પ્રદેશમાં નિશ્ચિત થઈને પરિભ્રમણ કરતો રહે. પુદ્ગલ ભાવોની સાથે સંબંધ વિચ્છિન્ન થઈ જાય અને આત્માની સાથે અતૂટ સંબંધમાં જોડાઈ જાય. કતૃત્વ આત્મપરિણામનું દેખાય અને કાર્ય આત્મગુણોની નિષ્પત્તિનું થઈ જાય ! સર્વનો આધાર આત્મા જ લાગે.
જ્યાં સુધી ભેદજ્ઞાનનો અભાવ હોય છે, ત્યાં સુધી જડપુદ્ગલોના કતના રૂપમાં આત્માનો ભાસ થાય છે. કાર્યરૂપ જડપુદ્ગલ દેખાય છે. કારણરૂપ જડ ઇન્દ્રિયો અને મન તથા સંપ્રદાન, અપાદાન અને અધિકરણના રૂપમાં પણ જડપુદ્ગલ જ દેખાય છે. આત્મા અને પુદ્ગલોના અભેદની કલ્પના પર જ સમસ્ત સંબંધોને કાયમ કરવામાં આવે છે, એટલા માટે આખી દુનિયા વિષમતાઓથી ભરીભરી નજરે પડે છે.
જડ-ચેતનના અભેદનો અવિવેક અનંત યાતનાઓથી યુક્ત સંસારમાં જીવને ગુમરાહ કરી દે છે. તાત્પર્ય એ છે કે જગતમાં જે સંબંધો-સગપણો હોય છે એ બધાનો આત્માની સાથે વિનિયોગ કરી દેવો જોઈએ. આત્મા, આત્મગુણ અને આત્માના પર્યાયોની સૃષ્ટિમાં એમનામાં રહેલા પરસ્પરના સંબંધો અને સગપણોને સારી રીતે સમજવા જોઈએ અને તે પછી જ ભેદજ્ઞાન અધિકાધિક વૃઢ થાય છે. ભેદજ્ઞાન દૃઢ થાઓ :
શરીર ઉપરથી ચામડી ઊતરતી હોય, અસહ્ય વેદના અને કષ્ટ પડતું હોય, રૂધિરના ફુવારા છૂટતા હોય, છતાં પણ જરાકે હલનચલન ન હોય, થોડોક પણ, અસંયમ ન હોય, રજમાત્ર અધૃતિ ન હોય એ કેવી રીતે શક્ય છે ? આટલી સહનશીલતા, વૈર્ય અને વૃઢ મન ! એની પાછળ કેવી અભુત શકિત કામ કરતી હશે? કયું રહસ્ય છુપાયેલું પડ્યું હશે? જાણો છો કે એ અભુત શક્તિ અને રહસ્ય શું છે? એ હતું ભેદજ્ઞાન.
શરીરની આત્માથી આ પ્રકારે ભિન્નતા સમજમાં આવી જવી જોઈએ અને ફળસ્વરૂપ શરીરની વેદના, પીડા, વ્યાધિ, રોગાદિ વિકૃતિઓ આપણા ધૃતિભાવને વિચલિત ન કરી શકે. પછી ભલેને આપણી ઉપર તલવારનો કે છરીનો ઘા થાય! ભલે કોઈ “સ્ટેનગનાથી શરીરને ચારણી જેવું બનાવી દે. શરીર-આત્માના ભેદ જ્ઞાનની ભાવના જાગૃત થઈ ગઈ હોય, તો પછી આપણામાં અવૃતિ-અસંયમની ભાવના રજમાત્ર ઉત્પન નહીં થાય.
ઝાંઝરિયા મુનિવર ઉપર તલવારનો પ્રહાર કરવામાં આવ્યો. અંધક સૂરિજીના પાંચસો શિષ્યોને ઘાણીમાં પલવામાં આવ્યા. ગજસુકુમાલ મુનિના શિર ઉપર [ સંવર ભાવના
છે.
સુ ૧૮૭]