________________
કરી લે છે અને એ સિવાયના સમયમાં પ્રમાદમાં ડૂબેલા રહે છે, તેઓ મનનાં દુઃખોથી અને ભીતરના ક્લેશથી મુક્ત થઈ શકતા નથી. શાસ્ત્રોને સર્વજ્ઞવચન જ માનો. દ્વાદશાંગ પ્રવચન જ માનો. આત્મસ્વરૂપની ઓળખાણ કરો:
સંયમ અને શાસ્ત્રરૂપ પુષ્પોથી મનપરિણામોને કેવી રીતે મહેંકતાં રાખવાં એ વાત જણાવીને હવે ગ્રંથકારના નિર્દેશ અનુસાર આત્માને - વિશુદ્ધ આત્મસ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આત્માના વિશુદ્ધ સ્વરૂપના વિષયમાં વિવેચન કરું છું.
ભેદજ્ઞાનની સર્વોત્તમ ભૂમિકા ઉપર વિપુલ પ્રમાણમાં કર્મક્ષય થાય છે. આત્મા સ્વ-સ્વભાવમાં અપૂર્વ સચિદાનંદનો અનુભવ કરે છે. સાથે જ પ્રશમરસમાં - શાન્તસુધામાં કેલિક્રીડા કરે છે. વિશુદ્ધ આત્મસ્વરૂપને સમજવા માટે આત્મામાં જ છ “કારક'નો સંબંધ પ્રસ્થાપિત કરવો જોઈએ. વ્યાકરણની દ્રષ્ટિથી કારકના છ પ્રકારો છે.
૧. કર્તા, ૨. કર્મ, ૩. કરણ, ૪. સંપ્રદાન, ૫. અપાદાન અને ૬. આધાર, જગતમાં વિદ્યમાન સર્વ સંબંધોનો સમાવેશ પ્રાયઃ આ છે કારકોમાં થાય છે. ઉક્ત છ કારકોનો સંબંધ આત્માની સાથે જોડી દેવાથી એક આત્માદ્વૈતની દુનિયાનું સર્જન થાય છે. જેમાં આત્મા કર્યા છે અને કર્મ પણ આત્મા જ છે. કારણરૂપથી આત્માનું દર્શન થાય છે અને સંપ્રદાનના રૂપમાં પણ આત્માનું જ દર્શન થાય છે. અપાદાનમાં પણ આત્મા નિહિત છે અને અધિકરણમાં પણ આત્મા! આ રીતે આત્મા સિવાય અન્ય કોઈનો પ્રતિભાસ થતો નથી. જ્યાં જુઓ ત્યાં આત્મા, ત્યારે કેવી આત્માનંદથી પરિપૂર્ણ અવસ્થા હોય છે ! પ આત્મા સ્વતંત્રરૂપે જ્ઞાન-દર્શનમાં કેલિક્રીડા કરે છે. જાણવાનું, સમજવાનું,
જોવાનું અને પરખવાનું કામ કરે છે. એટલા માટે સ્વયં આત્મા “કત છે.
જ્ઞાનસહિત પરિણામનું આત્મા આશ્રયસ્થાન છે, આથી આત્મા કમી છે. . ઉપભોગના માધ્યમથી શાપ્તિક્રિયા (જાણવાની ક્રિયા)માં ઉપકારક હોય છે,
એટલે આત્મા જ ‘કરણ છે. | આત્મા સ્વયમુ જ શુભ પરિણામનું દાનપાત્ર છે, એટલા માટે આત્મા સંપ્રદાન”
છે. એ જ જ્ઞાનાદિ પયયોમાં પૂર્વપર્યયોનો નાશ થવાથી અને આત્માથી એનો વિયોગ થઈ જવાને કારણે આત્મા જ ‘અપાદાન' છે. v સમસ્ત ગુણપર્યાયોના આશ્રયભૂત આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્ર હોવાને કારણે આત્મા જ ‘અધિકરણ' છે.
શાન્ત સુધારસ: ભાગ ૨
૧૮૬