________________
. મનનમાં શાસ્ત્રોની સ્મૃતિ અને ચિંતન-મનન કરો. I વચનથી એ ધર્મશાસ્ત્રોનો ઉપદેશ આપો. i કાયાથી એ શાસ્ત્રોને લખો અને જ્ઞાનભંડારોને સુવ્યવસ્થિત કરવામાં તમારું યોગદાન આપો.
આજના પ્રવર્તમાન સમયમાં આપણને આગમગ્રંથો મળ્યા છે તે આ રીતે મળ્યા છે : મહાપુરુષોએ જીવનભર શાસ્ત્રોનું અધ્યયન-પરિશીલન કર્યું અને એ અનુચિંતનની ટીકા રૂપે, ભાષ્યના રૂપમાં, નિયુક્તિનાં રૂપમાં વિવેચનના તાર ઉપર લખ્યું. આ ક્રમ ચાલતો જ રહે છે. આ પરંપરામાં આપણે પણ જામી જવાનું છે. આ ક્ષેત્રમાંથી જ આપણને જ્ઞાનાનંદ મળી શકશે, એ નિર્વિવાદ સત્ય છે.
શાસ્ત્રવચનની ઉપેક્ષા કરીને આત્માનુભૂતિની વાતો કરનારા પોતે તો ભ્રમણાની જાળમાં જીવે જ છે, સાથે સાથે બીજા સરળ, ભદ્રિક અને ભોળાભલા જીવોને ભ્રમણામાં ભેરવી પાડે છે. પોતે રચેલા ધર્મગ્રંથોનો પ્રચાર કરવા માટે પ્રાચીન ધાર્મિક આધ્યાત્મિક ગ્રંથોની નિંદા કરે છે અને આ શાસ્ત્રો નવાંચવાં જોઈએ એવો બકવાસ કરે છે.
શાસ્ત્રોના શાસ્ત્રોક્ત તત્ત્વોના સૂક્ષ્મ અને આત્મસ્પર્શી ચિંતન-મનનમાંથી કોઈ કોઈ વાર આત્માનુભૂતિ થઈ જાય છે, અને એ સાચી આત્માનુભૂતિ હોય છે. દંભ
અને દથિી મુક્ત શાસ્ત્રજ્ઞાની આત્માનુભૂતિ પામ્યા વગર રહેતો નથી. એટલા માટે -કહું છું : મન-વચન-કાયાને સતત ધર્મશાસ્ત્રોમાં, આધ્યાત્મિક શાસ્ત્રોમાં, યોગશાસ્ત્રોમાં ઓતપ્રોત રાખીને મુક્તિમાર્ગ ઉપર ગતિ-પ્રગતિ કરતા રહેવું. શાસ્ત્ર કોને કહે છે?
ચૌદ પૂર્વધરો “શાસ” ધાતુનો અર્થ અનુશાસન કરે છે અને “વૈ” ધાતુને સર્વ શબ્દવેત્તાઓ પાલન” અર્થમાં સુનિશ્ચિત કરે છે. એટલા માટે રાગદ્વેષથી જેનાં ચિત્ત વ્યાપ્ત છે એમને સદ્ધર્મમાં અનુશાસિત કરે છે શાસ્ત્ર. તે સુખદુઃખમાં પણ બચાવે છે એટલે સજ્જન લોકો એને શાસ્ત્ર કહે છે.
એનું નામ શાસ્ત્ર કે જે જીવોના મન-વચન અને કાયાને સદ્ધર્મમાં એટલે કે અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર અને અપરિગ્રહમાં સ્થાપિત કરે છે. હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર અને પરિગ્રહમાં જતા મન-વચન-કાયાને રોકે.
શાસ્ત્રોના અધ્યયન અનુશીલનમાં, વાચન, મનનમાં પ્રવચનમાં ડૂળ્યા રહેનારા સાધક તન-મનના તમામ દુઃખ અને દ્વન્દથી છુટકારો પામે છે.
જે સાધકો માત્ર શબ્દોનું જ અધ્યયન કરે છે, એટલે કે અમુક હદ સુધી જ પઠન
[
સંવર ભાવના
૧૮૫]
૧૮૫