________________
બ્રહ્મચર્યથી શુદ્ધ આત્માની પૂજા: ‘જ્ઞાનસારના ભાવપૂજા-અષ્ટકમાં કહેવામાં આવ્યું છે -
नवब्रह्मांगतो देवं शुद्धमात्मानमर्चय । શુદ્ધ આત્મારૂપ દેવની નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ નવ અંગોનું પૂજન કરવું. તમે શુદ્ધ આત્મસ્વરૂપ તરફ અભિમુખ થઈ ગયા છો. દયા, સંતોષ, વિવેક, ભક્તિ અને શ્રદ્ધાથી તરબતર થઈ ગયા છો; એટલા માટે તમારે માટે બ્રહ્મચર્યનું પાલન સરળ થઈ ગયું છે.
અબ્રહ્મની અસહ્ય દુર્ગધ તમે સહન નહીં કરી શકો. તમારી દ્રષ્ટિ રૂપ-પયયિમાં સ્થિર થવી સંભવ નથી. ન તો તમે શરીર-પર્યાયમાં લુબ્ધ બની શકશો. બલ્ક તમારી દ્રષ્ટિ સદા-સર્વદા વિશુદ્ધ આત્મદ્રવ્ય પર જ સ્થિર રહેશે. તો પછી ભલા ! નારીકથાઓ સાંભળવી અને સંભળાવવી, તેમની પાસે બેસવું અને નર-નારીની કામકથાઓ કાન માંડીને સાંભળવાનું તમે કરી જ નહીં શકો.
આ જ “જ્ઞાનસારમાં ‘સર્વસમૃદ્ધિ-અષ્ટક’માં બ્રહ્મચારીને શેષનાગ-નાગલોકનો અધિપતિ કહ્યો છે. સાચે જ મુનિ નાગેન્દ્ર છે. બ્રહ્મચર્યનો અગ્નિકુંડ એનું નિવાસસ્થાન છે. ક્ષમા-પૃથ્વીને તેણે પોતાની ઉપર ધારણ કરી છે. પૃથ્વી એને આધારે ટકી છે. હવે કહો - બ્રહ્મચારી મુનિ નાગેન્દ્ર છે કે નહીં?
વાસ્તવમાં તમે બ્રહ્મચર્યના નવનિયમોનું પાલન કરીને મન, વચન અને કાયાના યોગથી બ્રહ્મચર્યના અમૃતકુંડમાં રમણતા કરો છો. ત્યાં તમે કેવા અપૂર્વઆહૂલાદનો અનુભવ કરી રહ્યા છો - એ આહૂલાદનું વર્ણન કેવી રીતે કરવામાં આવે ? કયા શબ્દોમાં કરી શકાય? સાચે જ મુનિ બ્રહ્મચર્યના અમૃતકુંડનો અધિપતિ છે, સ્વામી છે. આ આનંદની તુલનામાં વિષયસુખની કેલિકીડાનો આનંદ તુચ્છ છે - નહીંવત્ છે, અસાર છે.
આ બ્રહ્મચર્યનું પાલન કરવા તમારે સદ્ગુરુ પાસેથી સદાય જિનવચનોનું શ્રવણ કરવું અતિ આવશ્યક છે. આ વ્રતવૃક્ષને જિનવાણીના પાણીથી સતત સિંચિત કરતા રહેવું જોઈએ. . संयमवाङ्मय कुसुमरसैरति-सुरभय निजमध्यवसायम् ।
चेतनमुपलक्षय कृतलक्षण-ज्ञानचरणगुणपर्यायम् ॥ ७ ॥ “સંયમ અને શાસ્ત્રરૂપ ફૂલોથી તું તારાં મનઃપરિણામોને મહેંકતાં રાખ. જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણોના પર્યાયરૂપ આત્માને સારી રીતે ઓળખી લે.”
ગ્રંથકાર સાતમી ગાથાના શ્લોકમાં બે મહત્ત્વપૂર્ણ વાતો કહે છે. સંયમ અને [ સંવર ભાવના
૧૮૩ |