________________
ચોથું સમાધિસ્થાન : સાધકે - બ્રહ્મચારીએ સ્ત્રીઓના મનોહર, આકર્ષક, મનોરમ તથા આહ્લાદકારી ઇન્દ્રિયોનાં દર્શન, સ્મરણ અને ચિંતન ન કરવાં
જોઈએ.
પાંચમું સમાધિસ્થાન પાષાણની ભીંતની પાછળ યા વસ્ત્રના પડદાની પાછળ યા તો પાકી ઈંટોની ભીંત પાછળ રહીને સ્ત્રીઓના પ્રેમસભર શબ્દો, સ્ત્રીઓના કલહજન્ય શબ્દો, રુદનના શબ્દો, સંગીતના શબ્દો, હાસ્યના શબ્દો, સંભોગસમયના અસ્પષ્ટ શબ્દો, વિલાપના શબ્દો જે સાંભળતો નથી તે બ્રહ્મચારી
છઠ્ઠું સમાધિસ્થાન : પૂર્વકાળમાં ગૃહસ્થ જીવનમાં સ્ત્રીની સાથે ભોગવેલા ભોગોનું સ્મરણ ન કરવું જોઈએ.
સાતમું સમાધિસ્થાન બ્રહ્મચારીએ ઘી વગેરે સ્નિગ્ધ પદાર્થોથી ભરપૂર આહાર ન ખાવો જોઈએ.
આઠમું સમાધિસ્થાનઃ બ્રહ્મચારીએ પાણી અને ભોજનના માપનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
નવમું સમાધિસ્થાનઃ શરીરશોભાનાં સાધનો દ્વારા શરીરના સંસ્કાર કરવા નહીં - કારણ કે તે બ્રહ્મચારી છે. શરીરની શોભા કરનાર અને સ્નાનાદિથી શોભિત રહેનાર સાધક સ્ત્રીવર્ગને માટે ઇચ્છનીય અને અભિલક્ષિત રહે છે.
દશમું સમાધિસ્થાન બ્રહ્મચારી સ્ત્રીઓના મનોહર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત થતો નથી. બ્રહ્મચારીને દેવ પણ નમસ્કાર કરે છે :
બ્રહ્મચારી સાધક ઘેર્યમૂર્તિ હોય છે. ધર્મસારથિ હોય છે. ધર્માધાનમાં વિચરનાર હોય છે. ઈન્દ્રિયો અને મનનો વિજેતા હોય છે. એવો મુનિ બ્રહ્મચર્ય - સમાધિસંપન્ન બનીને શ્રુતચારિત્રરૂપ ધમઘાનમાં વિચરણ કરે છે.
देवा-दानव-गन्धव्वा जक्ख-रक्खसकिन्नराः । बंभयारी नमसंति दुक्करं जो करति ते ॥ उत्तरा. જે માણસ દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને વૈમાનિક દેવ, જ્યોતિષી દેવ, ભવનપતિના દેવો અને ગંધર્વ-યક્ષ-વ્યંતર-વાણવ્યંતર દેવ નમસ્કાર કરે છે.
“બ્રહ્મચર્ય' નામનો આ ધર્મ ધ્રુવ, નિત્ય, શાશ્વત છે. આ ધર્મના પાલનથી ભૂતકાળમાં ભવ્ય જીવો સિદ્ધ થયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યકાળમાં પણ થશે. [ ૧૮૨
| શાન્તસુધારસ : ભાગ ૨ |