SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ संयमयोगैरवहितमानस-शुद्धया चरितार्थय कायम् । नानामतरुचिगहने भुवने, निश्चिनु शुद्धपथं नायम् ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસના ગેય કાવ્યમાં “સંવર ભાવનાના વિષયમાં કહે છે. જાગૃતિ સાથે માનસિક શુદ્ધિથી યુક્ત સંયમયોગોથી તું તારા માનવદેહને સાર્થક કર. વિશ્વ તો મતમતાન્તર અને ભાતભાતની માન્યતાઓનું ભયાનક-ગીચ જંગલ જેવું છે. એમાં તું તારો શુદ્ધ માર્ગ નિશ્ચિત કર. શુદ્ધ મોક્ષમાર્ગ નિશ્ચિત કરો : ઉપાધ્યાયજીના જીવનકાળમાં ભિન્ન ભિન્ન ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. ફરક એટલો જ છે કે પ્રાચીન કાળમાં રાજસભાઓમાં યા તો વિદ્વાનોના સમૂહમાં ધર્મ અને માન્યતાઓ સંબંધમાં વાદવિવાદ થતા હતા. હારજીતનું મોટું મહત્ત્વ રહેતું હતું. મારો ધર્મ - મારી માન્યતા મહાન’ સિદ્ધ કરવા કેટલાય દિવસો સુધી વાદ-વિવાદો ચાલતા હતા. વૈદિક ધર્મવાળા જૈન અને બૌદ્ધો સાથે વાદ-વિવાદ કરતા હતા. શાસ્ત્રો અને ઓજસ્વી વાણીનો ઉપયોગ વાદ-વિવાદમાં થતો હતો. એક પક્ષ વિજયયાત્રા કાઢતો, તો બીજે પક્ષ નિરાશ થઈને ગામ યા દેશ છોડી ચાલ્યો જતો. ભગવાન મહાવીરના સમયમાં પણ રાજગૃહીના ઉદ્યાનમાં ભિન્ન ભિન્ન મતાવલંબી રહેતા હતા અને શાસ્ત્ર, વિદ્વત્તા અને વિચક્ષણતાનો ઉપયોગ વાદ-વિવાદમાં કરતા હતા. આ સમયમાં એવા વાદ-વિવાદો થતા નથી - ન બનારસમાં, ન દિલ્હીમાં.. ન મુંબઈમાં, નતો મદ્રાસમાં. આજે તો સમાજજકામપ્રધાન અને અર્થપ્રધાન બની ગયો છે. સમાજને આજે ધાર્મિક વાદ-વિવાદમાં રસ નથી. આમેય પણ તત્ત્વનો નિર્ણય - મોક્ષમાર્ગ નિર્ણય વાદ-વિવાદથી થઈ શકતો નથી. ‘જ્ઞાનસારમાં કહ્યું છે કે - वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वांतं नैव गच्छन्ति तिलपिलकवत् गतौ ॥ નિરર્થક વાદ પ્રતિવાદમાં ફસાયેલો જીવ ઘાણીના બળદની જેમ તત્ત્વનો પાર પામવામાં અસમર્થ હોય છે.” એટલા માટે કોઈ ધર્મમતવાળાની સાથે વાદ-વિવાદ કર્યા વગર સ્વયં પોતાની બુદ્ધિથી ધમનો નિર્ણય કરો. જે લોકો અહીં હાજર છે, તેમને તો શુદ્ધ મોક્ષમાર્ગ મળેલો છે. ન તો તમારે વેદાન્તી પાસે જવાની જરૂર છે, ન તો બૌદ્ધધર્મીની પાસે જવાની જરૂર છે. નઈસાઈની પાસે કે ન તો ઇસ્લામની પાસે. ન કોઈ મઠમાં કે ન કોઈ આશ્રમમાં જવાની જરૂર છે. એટલા માટે તમને જે ધર્મ જન્મથી મળ્યો જ છે - જિનમાર્ગ મળ્યો જ છે, એ વિષયમાં શાસ્ત્રાધ્યયન કરવું [ ૧૮૦ શાન્તસુધારસ: ભાગ ૨ |
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy