________________
સુધી આ સંકલ્પ નહીં થાય, ત્યાં સુધી એ દિશામાં તમે મન-વચન-કાયાથી પુરષાથી જ નહીં કરી શકી. પુરુષાર્થમાં જોશ, દ્રઢતા અને શીવ્રતા-ઝડપ આવી જ નહીં શકે. જો આપણે રાગદશાને ખરાબ સમજતા હોઈએ તો એનાં ભયંકર પરિણામોની કલ્પના પણ આપણને વિચલિત કરી દે તેવી છે. એની વિનાશલીલા આપણી નજરે જોઈ લીધી છે, તો પછી શા માટે એને સહારે સુખ લેવા-પામવા દોડયા? અટકી જાઓ, અનંત-અનંત જન્મોથી પીડા આપનારી અને આત્માનું નૂર-હીર ચૂસી લેનારી આ રાગદશાને હવે તો ખતમ કરવી જ પડશે. એને માટે જે કોઈ શસ્ત્ર, જે કોઈ અસ્ત્ર આપણી પાસે હોય એને લઈને આપણે રાગદશા ઉપર હુમલો કરવો જ પડેશે. હવે વિચારવાનો સમય નથી. આક્રમણ કરવાની ઘડી આવી ગઈ છે. જેથી આ રાગદશાને ખતમ કરી શકીએ. હથિયાર ઉપાડો અને પૂર્ણ શક્તિથી રાગદશા સામે મોરચો માંડો ગભરાશો નહીં. એક અદ્રશ્ય શક્તિ આપણી અંદર બેઠેલી જ છે. એ સદૈવ આપણી સાથે જ છે. વૈરાગ્ય ભાવનાને દ્રઢ બનાવવા માટે મનના વિચારો બદલવા જ પડશે.
દરેક પ્રસંગ અને દરેક ઘટનાનું ચિંતન સંવેગમય અને નિર્વેદમય વિચારોના માધ્યમથી કરવાનું રહેશે. સંવેગગર્ભિત અને વૈરાગ્યગર્ભિત વિચારોથી વૈરાગ્ય સુદ્રઢ બને છે. એટલા માટે વારંવાર સંવેગ-વૈરાગ્યગર્ભિત વિચારો કરતા રહો. મોક્ષપ્રીતિ અને ભવઉગ :
મોક્ષ પ્રત્યે રાગ અને સંસાર પ્રત્યે ઉદ્વેગ ! આ બે તત્ત્વોને તમારા વિચારોનું કેન્દ્ર બિંદુ બનાવો. જન્મ, જરા અને મૃત્યુ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર એવા આ સંસારનું ચિંતન તમારા વૈરાગ્યને પુષ્ટ બનાવશે.
કોઈક વાર સંસારની ક્ષણભંગુરતાના ચિંતનમાં ડૂબી જાઓ, તો કોઈ વાર ભીષણ દુઃખદાયી સંસારમાં જીવાત્માની અશરણ દશાના વિચારોમાં ઊંડા ઊતરી જાઓ, તો વળી કોઈક વાર સ્વજન-પરિજન અને વૈભવથી આત્માની જુદાઈના વિચારોમાં ખોવાઈ જાઓ. કોઈ વાર હર જન્મમાં બદલાતા રહેતા જીવાત્માઓના પારસ્પરિક સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ડૂબી જાઓ. કો'ક સમયે ગોરાગોરા. આ સુંદર શરીરની ભીતરની કાળીકાળી અવસ્થાઓના વિચારોમાં મગ્ન થઈ જાઓ.
કોઈ કોઈ વાર દુઃખદ હિંસા વગેરે આસવોના કરૂણ અંજામ યાદ આવી જાય, તો કોઈ વાર આ આસ્રવોના આવેગશીલ પ્રવાહોને રોકવાના ઉપાયો મનમાં વહી આવે. કોઈક વાર કમની નિર્જરાનું વિજ્ઞાન ચિત્તને હલાવી દે, તો કોઈક વાર ચૌદ રાજલોક રૂપી વિરાટ વિશ્વની લાંબી સફર કરવા ચાલ્યા જાઓ, તો વળી કોઈક કાળે ધર્મના
[
સંવર ભાવના
.
૧૭૫]