SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ - મન-વચન-કાયાનો સંયમ. આ રીતે સત્તર પ્રકારના સંયમનું પાલન મુનિ-સાધુએ કરવાનું હોય છે. આ રીતે “સંયમથી કષાયમુક્તિ અને વિકારમુક્તિ પ્રાપ્ત થાય છે. આગળ વધીને ગ્રંથકાર કહે છે - उपशमरसमनुशीलय मनसा रोषदहनजलदप्रायम् ।। कलय विरागं धृतपरभागं, हृदि विनयं नायं नायम् ॥ ક્રોધરૂપી આગને બુઝાવવા માટે લગભગ વાદળા જેવા ઉપશમ ભાવનું સારી રીતે ચિંતન કર. વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશાને ઓળખવાની કોશિશ કર. ગ્રંથકાર ક્રોધને આગ કહે છે. પ્રશમરતિ’માં ક્રોધ માટે કહ્યું છે કે ક્રોધ સર્વ જીવોને પરિતાપ કરનાર છે. - સર્વ જીવોને ઉગ કરનારો છે, - વેરનો અનુબંધ કરનારો છે અને | સદ્ગતિનો નાશ કરનારો છે. એટલા માટે અહીં ગ્રંથકાર ક્રોધની આગને બુઝાવવા માટે ઉપશમ ભાવનાં વાદળોમાંથી પાણી વરસાવવા માટે પ્રેરણા આપે છે. ઉપશમ ભાવ : જીવાત્મા શમ-ઉપશમની ભૂમિકા પર ત્યારે પહોંચી શકે છે કે જ્યારે તે અધ્યાત્મયોગ, ભાવનાયોગ અને ધ્યાનયોગની આરાધનાથી પાર ઊતરે છે, અર્થાત્ તે ઉચિત વૃત્તિવાળો વ્રતધારી બન્યો હોય તેણે મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવથી ઓતપ્રોત બનીને તત્ત્વચિંતન કર્યું હોય, પરિશ્રમપૂર્વક શાસ્ત્ર પરિશીલન કર્યું હોય અને દિનપ્રતિદિન સ્વવૃત્તિઓનો વિરોધ કરતાં અધ્યાત્મનો નિરંતર અભ્યાસ કરીને કોઈ એક પ્રશસ્તવૃત્તિમાં તન્મય થઈ ગયો હોય. સમતાયોગી શુભ વિષય પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ નથી રાખતો કે ન તો અશુભ વિષય પ્રત્યે અનિષ્ટ બુદ્ધિ રાખતો. બલ્ક તેની દ્રષ્ટિમાં તો શુભ અને અશુભ બંને વિષયો સમાન જ હોય છે. તે સદેવ આત્માના પરમ શુદ્ધ સ્વરૂપમાં જ ડૂખ્યો રહે છે. બાહ્ય પદાર્થોની એને કદીય અપેક્ષા રહેતી નથી. કારણ કે બાહ્ય પદાર્થોની અપેક્ષા જ બંધનનું મૂળ કારણ છે. | કર્મકત વિવિધ ભેદોની ઈચ્છા ન રાખનાર અને બ્રહ્માંશ દ્વારા એક સ્વરૂપવાળા જગતને આત્માથી અભિન્ન માનતો જીવાત્મા ઉપશમ ભાવવાળો હોય છે અને ૧૭૨ , શાન્તસુધારસઃ ભાગ ૨)
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy