________________
પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહઃ
પાંચ ઈન્દ્રિયો ઉપર નિયમન રાખવું, નિરોધ કરવો એ પાંચમા પ્રકારનો સંયમ છે. તે તે ઇન્દ્રિયોની સાથે તે તે વિષયોનો સંબંધ થાય ત્યારે રાગદ્વેષ ન કરવો, માધ્યચ્ય ભાવ રાખવો, એનું નામ છે સંયમ. શ્રવણેન્દ્રિયની સાથે સારા-ખોટા શબ્દોનો સંયોગ થાય ત્યારે મનમાં રાગદ્વેષ ન થવા દેવો અને શ્રવણેન્દ્રિય સંયમ કહે છે. આંખોની સાથે કોઈ સુંદર-અસુંદર રૂપનો સંયોગ થયો એ સમયે રાગદ્વેષ ન કરવો એને ચક્ષુરિન્દ્રિય સંયમ કહેવામાં આવે છે. ધ્રાણેન્દ્રિયની સાથે સારી-ખોટી ગંધનો સંયોગ થયો એ સમયે રાગદ્વેષ ન થવો, એ ધ્રાણેન્દ્રિય સંયમ કહેવાય છે. જીભની સાથે સારા-ખોટા પદાર્થોનો - રસોનો સંયોગ થાય ત્યારે રાગદ્વેષ ન થવા દેવો એને રસનેન્દ્રિય સંયમ કહે છે. ચામડી સાથે કોઈ સારા-ખોટા સ્પર્શનો સંયોગ થાય ત્યારે રાગદ્વેષ ન કરવો એને સ્પર્શેન્દ્રિય સંયમ કહે છે. કષાય-જય :
કમ્ એટલે સંસાર, આય એટલે લાભ, જેનાથી સંસારમાં ભટકવાનો લાભ થાય એટલે કે જેને કારણે સંસારમાં ભટકાવું પડે, એને ‘કપાય' કહે છે. જેવા કષાયો અંદર ઊભા થાય કે તરત જ એમને દબાવી જ દો - શાન્ત કરી દો. નિષ્ફળ બનાવી દો એમને આને કહે છે - કષાય-સંયમ. કષાય ઉદયમાં આવવા છતાં ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલભતા દ્વારા એ કષાયોને ઉપશાંત કરવા. કષાય-સંયમ આરાધના માર્ગ ઉપર અનિવાર્ય છે. દંડ-વિરતિ :
મન, વચન અને કાયા જ્યારે શુભ હોય છે ત્યારે એમને ‘ગુપ્તિ' કહેવામાં આવે છે...જ્યારે અશુભ હોય છે ત્યારે “દંડ' કહેવામાં આવે છે. કારણ કે એના દ્વારા આત્મા દંડાય છે. કર્મોથી આત્મા બંધનમાં પડે છે. મનમાં ઈર્ષા, દ્રોહ, અભિમાન વગેરે કરવા એ મનોદંડ છે. અસત્ય, કૂર અને કઠોર વચનો બોલવાં એ વચનદંડ છે. દોડવું, કૂદવું, ભાગવું.... વગેરે કાયદંડ છે. આવી પ્રવૃત્તિઓ ન કરવાની પ્રતિજ્ઞા કરવી એને “દંડ-વિરતિ’ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં અન્ય રીતથી પણ સત્તર પ્રકારના સંયમ વર્ણિત છે. પૃથ્વી - પ્રાણી, વાયુ - અગ્નિ વનસ્પતિના જીવોની રક્ષા કરવી. . બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય જીવોની રક્ષા કરવી. I પુસ્તક વગેરેનો પરિગ્રહ ન રાખવો. એને “અજીવદાય સંયમ' કહે છે. 1 પ્રેક્ષા સંયમ, અપેક્ષા સંયમ, પ્રમાર્જન સંયમ અને પારિષ્ઠાપનિકા સંયમ સંવર ભાવના
૧૭૧ |