________________
# ‘કાયા’ છે તે ઔદારિક વર્ગણાનાં પુદ્ગલોની બનાવટ છે. એને બનાવી છે જીવે !
આખું વિશ્વ પુદ્ગલોથી ભરેલું છે. આપણાં ચર્મચક્ષુથી આ પુદ્ગલ વર્ગણાઓ દેખાતી નથી; પરંતુ જ્યારે જીવાત્મા એ પુદ્ગલોને ગ્રહણ કરીને મન, વચન બનાવે છે, શરીર બનાવે છે, ત્યારે તે ઇન્દ્રિયગમ્ય બને છે. જો કે અન્ય-અન્ય કર્મોની સહાયતા પણ આમાં અપેક્ષિત હોય છે. પરંતુ આજે મારે એ તત્ત્વજ્ઞાન આપવું નથી. આજે તો ‘અન્યત્વ ભાવના’ જ સમજાવવી છે. ‘આપણો આત્મા મન, વચન અને કાયાથી ભિન્ન છે, અન્ય છે... એ વાત સમજાવવી છે. આ વાત સમજવાથી જ્યારે પણ મન, વચન, કાયામાં ક્ષતિ થશે, હાનિ થશે, કોઈક ગરબડ થશે, તો શોક નહીં થાય, સંતાપ નહીં થાય. આ જ ‘અન્યત્વ ભાવના’ના ચિંતનની ફલશ્રુતિ છે. પુદ્ગલ પ્રેમથી જ રૂપ-કુરૂપ :
જેવી રીતે મૂળ રૂપમાં તો આત્મા ‘અયોગી’ છે એ રીતે ‘અરૂપી’ પણ છે. શરીર નહીં તો રૂપ નહીં, રૂપ શરીર સાથે જોડાયેલું તત્ત્વ છે અને શબ્દ-રૂપ આદિ પુદ્ગલના જ ગુણ છે. કોઈ જીવ રૂપવાન હોય છે, તો કોઈ જીવ કુરૂપ હોય છે. તે કર્મપુદ્ગલને કા૨ણે જ હોય છે. રૂપની સાથે ચૈતન્યસ્વરૂપ આત્માને કશું-લેવાદેવા નથી.
ગુણવાન આત્માનું શરીર કાળું હોઈ શકે છે અને દુર્ગુણીનું શરીર ધવલ-ગોરું પણ હોઈ શકે છે ! સર્વ ‘ક્ષાયોપશમિક ગુણ’ આત્માના હોય છે. સર્વ ઔયિક ભાવ પૌદ્ગલિક હોય છે. જ્યારે આત્મા તમામ કર્મોથી મુક્ત થઈ જાય છે ત્યારે તમામ ક્ષાયોપશમિક ગુણ ક્ષાયિક બની જાય છે. ઔદિયક ભાવ નષ્ટ થઈ જાય છે. રૂપ સારું હોય યા ખરાબ પણ એ પૌદ્ગલિક છે.
પુદ્ગલ પિંદ્ર થકી નિપજાવે, ભલા ભયંકર 'રૂપ'. પુદ્ગલ કા પરિહાર કિયાથી, હોવે આપ ‘અરૂપ’.
“રૂપ-કુરૂપતા પુદ્ગલજન્ય છે, હું આત્મા એનાથી પર છું, હું અરૂપી છું” - આ તત્ત્વજ્ઞાન આત્મસાત્ કરી દેવામાં આવે તો જીવ અનેક રાગદ્વેષથી બચી જાય ! કર્મબંધથી બચી જાય, શોક-હર્ષનાં દ્વન્દ્વોથી બચી જાય ! રૂપને મહત્ત્વ ન આપતાં તમે ગુણોને મહત્ત્વ આપતા થશો.
પુદ્ગલ પ્રેમથી ગરીબી અને શ્રીમંતાઈ :
જે રીતે આત્મા રૂપ-કુરૂપથી અન્ય છે, ભિન્ન છે, અરૂપી છે, એ રીતે આત્મા પોતાની રીતે નિર્જસ્વરૂપમાં નથી તો ગરીબ કે નથી શ્રીમંત. ગરીબી અને
શાન્તસુધારસ : ભાગ ૨
८