________________
એટલે કે કર્મબંધ નથી હોતાં. પરંતુ જ્યાં સુધી પુદ્ગલ સંગ છે, પુદ્ગલ પ્રેમ છે, ત્યાં સુધી કર્મોનો બંધ થતો જ રહેશે. v સ્વજનોથી પ્રેમ કરે છે, કર્મબંધ થાય છે. v પરિજનોથી, મિત્રોથી-સ્નેહીથી પ્રેમ કરે છે, કર્મબંધ થાય છે.
ધનવૈભવ, સંપત્તિથી પ્રેમ કરે છે, કર્મબંધ થાય છે. પોતાના અગર બીજાનાં શરીરથી પ્રેમ કરે છે, કર્મબંધ થાય છે.
જીવ જેની ઉપર પ્રેમ કરે છે, રાગ કરે છે, એના ઉપર દ્વેષ પણ કરે છે. જ્યાં રાગ ત્યાં દ્વેષ! રાગદ્વેષથી કર્મબંધ થતો રહે છે. કર્મબંધથી જ કર્મ ઉદયમાં આવે છે. કર્મ ઉદયમાં આવવાથી જીવને સુખદુઃખ મળે છે. પુણ્યકર્મના ઉદયથી સુખ અને પાપકર્મના ઉદયથી દુઃખ મળે છે.
મોટા ભાગના લોકો કર્મબંધ’નું તત્ત્વજ્ઞાન જાણતા નથી, એટલા માટે અજ્ઞાન દશામાં તીવ્ર કોટિનાં પાપકર્મ બાંધી લે છે. પ્રદૂગલ પ્રેમને કારણે જ તેઓ પાપકર્મ બાંધે છે. કષાય પરવશ થઈને, વિષયવિવશ થઈને પાપકર્મ બાંધે છે અને પાપકર્મ ભોગવવા માટે નરકગતિમાં અથવા તિર્યંચગતિમાં જન્મ લે છે. નિમ્નકોટિની મનુષ્યગતિમાં પણ જન્મે છે. ત્યાં દુખ, ત્રાસ અને વેદનાઓ ભોગવે છે. પુદ્ગલ પ્રેમથી જ ત્રિવિધ યોગઃ
જેવી રીતે પુદ્ગલ પ્રેમથી કર્મબંધ થાય છે. એ જ રીતે મનોયોગ, વચનયોગ અને કાયયોગની પ્રાપ્તિ પણ પુદ્ગલથી જ થાય છે. શુદ્ધ સ્વરૂપમાં તો આત્મા અયોગી જ છે. પુદ્ગલ સંગથી જ સયોગી છે.
મન-વચન-કાયયોગ પુદ્ગલથી નિપજાવે નિતમેવ,
પુદ્ગલ સંગ વિના અયોગી થાય લહી નિજમેવ. કદાચ તમે કહેશો મનવચન-કાયાની પ્રાપ્તિ થવી એ તો સારી વાત છે ને? ના, જ્યાં સુધી આત્માની ‘અયોગી' સ્થિતિનું જ્ઞાન નથી હોતું, સિદ્ધ અવસ્થાનું જ્ઞાન નથી, ત્યાં સુધી સયોગી અવસ્થા સારી લાગતી રહેશે ! આત્માની મૂળ સિદ્ધાવસ્થાની અપેક્ષાથી આ સયોગી અવસ્થા ઉપાદેય નથી. આપણે અયોગી બનવાની આરાધના કરવાની છે. મુક્તિ પામવી, મોક્ષ મેળવવો એટલે અયોગી બનવું. | ‘મન’ એ મનોવર્ગણાનાં પુદ્ગલોનું બનેલું છે. જીવ એ બનાવે છે ! i “વચન છે તે ભાષાવર્ગણાનાં પુગલોથી બને છે. એ બનાવે છે જીવ.
[ અન્યત્વ ભાવના
[૭]