________________
આત્મનું, તું શિવસુખના સાધનરૂપ સદુપાયોને - સુંદર ઉપાયોને સાંભળ, એમનો આશ્રય કર. જ્ઞાન-દર્શન-ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનારૂપ એ ઉપાયો અવશ્યમેવ ફળ આપે છે. એ તું સારી રીતે સાંભળ.”
શિવસુખ એટલે કે મોક્ષસુખ. મોક્ષસુખની વાત કરતાં પહેલાં મોક્ષનું સ્વરૂપ સમજી લો. મોક્ષનું સ્વરૂપ
લોકાન્તરમાં સ્થિત ઇષતુ પ્રામ્ભારા' નામની ધરતીને મોક્ષ કહેવામાં આવી છે. વાસ્તવમાં એ મુક્ત આત્માઓનું વિશિષ્ટ સ્થાન છે. જે આત્માઓ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો ક્ષય કરી દે છે એ આત્માઓ ઇષત્ પ્રાગભારા’ પૃથ્વી ઉપર - જેને ‘સિદ્ધશિલા' પણ કહેવામાં આવે છે. ત્યાં પહોંચી જાય છે અને માત્ર આત્મસ્વરૂપમાં જ લીન બની જાય છે - આત્મગુણોની પૂર્ણતા પ્રકટ થઈ જાય છે. પછી પૂર્ણ આત્મા કદી પણ અપૂર્ણ બનતો નથી, દેહધારી બનતો નથી. . મોક્ષમાર્ગ:
सम्यकत्व-ज्ञान-चारित्र-संपदः साधनानि मोक्षस्य । - તાદ્વૈતરાડમાપ મોક્ષમાળોંડદ્ધિ છે (પ્રશમરતિ)
મોક્ષમાર્ગ એટલે કે આત્માની શુદ્ધિ. એ શુદ્ધિનાં અસાધારણ કારણો છે. સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યગદર્શન વગેરે ત્રણને મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે.
જ્ઞાન અને દર્શન વગર એકલું સમ્મચારિત્ર મોક્ષમાર્ગ બની શકે નહીં.
જ્ઞાન અને ચારિત્ર વગર એકલું સમ્યગુદર્શન મોક્ષમાર્ગ ન બની શકે. I દર્શન અને ચારિત્ર વગર એકલું જ્ઞાન મોક્ષમાર્ગ ન બની શકે. પ દર્શન અને જ્ઞાન હોય, પરંતુ ચારિત્ર ન હોય તો મોક્ષમાર્ગ નથી.
જ્ઞાન અને ચારિત્ર હોય, પરંતુ દર્શન ન હોય તો મોક્ષમાર્ગ નથી. i દર્શન અને ચારિત્ર હોય, પરંતુ જ્ઞાન ન હોય તો મોક્ષમાર્ગ નથી.
અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સમુદિત રૂપમાં એકઠા થઈને જ મોક્ષમાર્ગ બની શકે છે.
विषयविकारमपाकुरु दूरं क्रोधं मानं सह मायम् । लोभरिपुं च विजित्य सहेलम् भज संयमगुणमकषायम् ॥ २॥
[
સંવર ભાવના
|
_| ૧૭૯ ]