________________
તો પડશે જ. ઇન્દ્રિયોનું અનુશાસન ન કરનારા મોટા મોટા તપસ્વી અને જ્ઞાની પણ સાધનાભ્રષ્ટ થયા છે. એક ઇન્દ્રિયની લોલુપતા પણ સાધકનું પતન નોંતરી દે છે, એટલા માટે ઇન્દ્રિયો પરનું અનુશાસન સખત હોવું જોઈએ. જો વિષય-વિરાગ હશે, વિષયો પ્રત્યે અનાસક્તિ હશે, તો જ ઇન્દ્રિય સંયમ સરળ બનશે. વૈરાગ્યના ઉપાયો વિષય-વૈરાગ્યના કેટલાક ઉપાયો પ્રશમરતિમાં ભગવાન ઉમાસ્વાતિજી બતાવે
છે.
देश कुल देह-विज्ञानायुर्बल भोगभूतिवैषम्यम् ।
दृष्ट्वा कथमिह विदुषां भवसंसारेरतिर्भवति ॥ દેશ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વૈભવની વિષમતા જોઈને વિદ્વાનોને આ ભવસંસારમાં કેવી રીતે પ્રીતિ થઈ શકે ?
આ આઠ વાતોમાં વિષમતાનાં દર્શન કરતા રહો. વૈરાગ્યભાવ તાજો રહેશે. ઈન્દ્રિયો પર સહજ રીતે વિજય પ્રાપ્ત થશે. આઠ વિષમતાઓનું વર્ણન અને મિથ્યાત્વ પર સમ્યકત્વથી કેવી રીતે વિજય મળે તથા આર્તધ્યાન - રૌદ્રધ્યાન પર કેવી રીતે નિયંત્રણ થાય - આ તમામ વાતો આગળ પર બતાવીશ. આજે બસ, આટલું જ.
સંવર ભાવના
૧૫૩