________________
૧. સામાયિક ચારિત્ર. ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર. ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્ર. ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. પ. યથાખ્યાત ચારિત્ર. હવે એક-એક ચારિત્રનું સંક્ષિપ્ત વિવેચન કરું છું.
સામાયિક ચારિત્રઃ “સમભાવમાં સ્થિર રહેવા માટે સમસ્ત અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો એ સામાયિક ચારિત્ર છે. છેદોપસ્થાપનીય આદિ શેષ ચાર ચારિત્ર સામાયિકરૂપ તો છે જ, તો પણ આચાર અને ગુણની કેટલીક વિશેષતાઓના કારણસર આ ચારેયનું સામાયિકથી જુદી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ઇત્વરિક અથતુ કેટલાક સમય માટે, અથવા યાવતકથિત અર્થાત્ સંપૂર્ણ જીવન માટે જે પહેલાં પહેલાં મુનિદીક્ષા લેવામાં આવે છે તે સામાયિક.
છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રથમ દિક્ષા પછી વિશિષ્ટ કૃતનો અભ્યાસ કરી લીધા. પછી વિશેષ શુદ્ધિ માટે જીવનપર્યત પુનઃ જે દીક્ષા (વડી દીક્ષા) લેવામાં આવે છે અને પ્રથમ દિક્ષામાં દોષાપત્તિ આવવાથી એનો છેદ કરીને ફરી નવા સ્વરૂપે જે દિક્ષાનું આરોપણ કરવામાં આવે છે, તે છેદોપસ્થાપનીય ચારિત્ર છે.
પરિહારવિશુદ્ધિ ચાસ્ત્રિઃ જેમાં વિશિષ્ટ પ્રકારના તપઃપ્રધાન આચારનું પાલન કરવામાં આવે છે, તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે.
સૂક્ષ્મ સંપરાય ચારિત્રઃ જેમાં ક્રોધ આદિ કષાયોનો ઉદય નથી થતો, માત્ર લોભનો અંશ અતિ સૂક્ષ્મરૂપમાં હોય છે તે સૂક્ષ્મ સંપરા ચારિત્ર.
યથાખ્યાત ચારિત્રઃ જેમાં કોઈ પણ કષાયનો બિલકુલ ઉદય રહેતો નથી તે થયાખ્યાત ચારિત્ર છે. * :
આ રીતે ‘સંવરના ૫૭ પ્રકારો છે. આસવો રોકવાના આ સિદ્ધ ઉપાયો છે. કર્મબંધનથી બચવા માટે આ ઉપાયોનો આશ્રય લેવો જ પડશે. કર્મબંધનથી બચવા માટે બીજા કોઈ ઉપાયો નથી અને દરરોજ સંવરભાવનાની અપેક્ષા કરવાથી આત્મા જાગૃત રહે છે. “મારે કર્મોના આસવોથી બચવાનું છે - આ વિચાર જીવંત રહે છે. આપણા જીવનમાં આ પ૭માંથી કોઈ પણ ઉપાય સંભવિત હોય તેને કાર્યાન્વિત કરો. જીવનમાં ઉતારવાનો અભ્યાસ કરશે. ૫૭માંથી જેટલા ઉપાયો શક્ય હોય એમને જીવનમાં સ્થાન આપો.
ઉપાધ્યાયથી વિનયવિજયજી સંવર ભાવનાના બીજા શ્લોકમાં કંઈક વિશેષ